________________ 405 ગાંધીજી એને સત્યાગ્રહ કહેતા. આ શુદ્ધિપયોગ કેવળ એવા ગૃહસ્થો કરી શકે કે ચાલાવી શકે જેમના જીવનની કક્ષા પાકેલી હોય, ઉન્નત હેય અને ચારિત્રથી સભર હોય; તેમણે પણ વ્યકિતગત નહીં; સંસ્થા દ્વારા જ આ પ્રયોગ કરવાનો હોય છે. ક્રાંતિપ્રિય સાધવર્ગનું એમાં માર્ગદર્શન હેવું જરૂરી છે. મા શુદ્ધિપ્રયોગ અંગે એક સાવધાની રાખવાની હરહંમેશ અગત્ય રહેવી જોઈશે. તે એકે એનું ઓછું મૂલ્યાંકન કરી ગમે તે સ્થળે એને ઉપયોગ ન કરવો. એ ઠંડી તાકાતને નાની બાબતોમાં વેડફી ન નખાય તેનું ધ્યાન રહેવું જોઈએ. કેટલાક પ્રશ્નો નાના હોય છે. ઘરમેળે પતાવી શકાતા હોય તો એને ઘરમેળે પતાવી નાખવા જોઈએ. તેને મોટું રૂપ ન આપવું જોઈએ. બાપુના આશ્રમમાં કેટલાક પ્રશ્નો એવા આવતા જેને નિકાલ તેઓ ઘરમેળે કરી નાખતા. તેઓ ઘણીવાર ઉપવાસોની જાહેરાત નહોતા કરતા; સમાજનું લક્ષ ખેંચવાનો પ્રસંગ હોય ત્યારે જ જાહેરાત કરતા. આપણે ત્યાં નાની વાતને મોટું રૂપ આપી દેવામાં આવે છે અને તેની જાહેરાત ઘણી મોટી કરવામાં આવે છે. એટલે સમાજમાં વિભ ઊભો થઈ જાય છે, અને ઘરઆંગણાને પ્રશ્ન વિશ્વપ્રશ્ન જેટલું મોટું મહત્વ લઈ લે છે. એટલે દરેક પ્રશ્નને તે કયાંને કયા ક્ષેત્રને અને કેટલા મહતવને છે, એ વિચારીને જ પછી, તેને અનુરૂપ પગલાં લેવા જોઈએ. નહીંતર પ્રમાણુ બહારના પ્રશ્નને વિશ્વપ્રશ્નનું રૂપ આપી દેતાં લોકો પ્રચારવાદી કહે અને હાંસી પણ થાય. એનાથી ઘણીવાર સામો પક્ષ તેને પ્રેમળ સ્વરૂપમાં લેતા નથી અને ક્યારેક તે ઝનૂની પણ બની જાય છે. વિશ્વપ્રશ્ન એ જ બની શકે જેમાં આખા વિશ્વને સ્પર્શવાની ભૂમિકા હોય. દા. ત. અણુશસ્ત્ર પ્રતિબંધ એ વિશ્વપ્રશ્ન છે; પણ ભાષાને પ્રશ્ન ભારત સુધીને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust