________________ 388 સામ્યવાદ કરતાં સમાજવાદ સારે | સામ્યવાદી રાજ્ય કરતાં સમાજવાદી રાજ્ય સારું ગણાય. કારણ કે તેમાં બળદને જે નીરે તે ખાય તેવું સરમુખત્યારશાહી તત્ત્વ હોતું નથી. સમાજવાદી રાજયમાં લેક પ્રતિનિધિઓ જાય છે. દા. ત. ડેન્માર્ક, સ્વીડન વગેરે નાનાં રાજ્ય છે છતાં ત્યાં સમાજવાદી રાજ્ય છે. ભારતમાં હજુ તે આવ્યું નથી. કદાચ પંડિતજીની એવી ઈચ્છા ખરી ! પણ સમાજવાદી રાજ્યમાં ત્રણ વર્ષના બાળકથી લઈને કોલેજનું શિક્ષણ અપાય. તે અંગે બધું રોપે જ વિચારવાનું હોય છે. શું ભણાવવું, શું ન ભણાવવું ? એ બધી વાતથી દવાની ચિકિત્સા સુધી બધું રાજ કરવાનું હોય છે. કોઈને તાવ આવ્યો કે રાજ્યની કાર હાજર, દર્દીને હેસ્પિટલમાં લઈ જાય. પગમાં વાગે તે પણ રાજ્યની કાર હાજર ! : પ્રથમ સમાજવાદની આ સારી વસ્તુઓ ભારતના યુવાનોએ જઈને જોઈ અને તેઓ ખૂબ આકર્ષાયા. વળી પાછા તેઓ પંદર વર્ષે ગયા તે ચિત્ર બદલાયેલું હતું. ગામમાં કોઈ ભૂલું, લંગડું થાય તો કોઈ તેની પાસે ફરકે જ નહીં. આમ કેમ થયું ? તેને ઉત્તર એ જ છે કે બધું રાજ્ય કરવાનું હતું એટલે સમાજ દિવસે દિવસે બેજવાબદાર બનવા લાગ્યો. ઘરડાં મા-બાપને પિતાનાં બાળકોને જોવાનું મન થાય પણ તે બધાંને ફોટામાં જ જોવાનાં! જે પરસ્પરાવલંબી સમાજ હતો. તે માત્ર રાજ્યાધીન બની ગયે. સમાજ જેના ઉપર ટકી શકે છે, એ ગુણ . ઓછાં થઈ ગયાં. ઉદારતા, સહાનુભૂતિ, સંવેદના, કરૂણા, એ . બધા ગુણોને લાવવાની તાકાત રાજ્યમાં બેડી છે ! ભારતમાં 5. જવાહરલાલ નેહરૂ જેવા મહાન રાજ્યનેતા છે તે છતાં જોઈ શકાય છે કે રાજ્ય કેટલું કરી શકે છે? સરાષ્ટ્રને એક આ જાત અનુભવ છે. તે વખતે વડાપ્રધાન શ્રી ઢેબર હતા. દુષ્કાળનાં, અનેક કામો ચાલ્યાં ! કામ રાજ્યનું છે ને ? એમાં શો વાંધે ? પરિણામે વ્યવસ્થાપકને પણ એમાંથી પાંચ પૈસા લઈ લેવાનું મન થાય ! ઘણી ફરિયાદ કરી, ત્યારે કલેકટર જેવા એક કર્મચારીએ પણ એક બાજુ P.P. Ac. Gunratnasuri M.S.