________________ આગળ લાવવી જોઈએ. થોડાક વર્ષોમાં વિવિધ આંદલનેથી માણસો એવા તૈયાર થાય કે પછી આખા સમાજ સહેજે બદલાઈ જાય ! અથવા, હિંસા કે દંડ આવે તે થોડાં આવે, એવી એની પાછળ નેમ છે. પણ કાર્યકરો ઓછા અને સંઘશકિતને વિરોધ એટલે સર્વોદય સક્રિય સફળ બની શકયું નથી. '' એ માટે વિશ્વવાત્સલ્યની વિચારધારા નો પ્રયોગ કરી રહેલ છે. તે પરિસ્થિતિ પરિવર્તનની સંધ શક્તિને વ્યવસ્થિત કરવી, અને ધીરે ધીરે એ વ્યવસ્થિત સંઘશકિત રાજ્યને ભાર ઉઠાવી લે અને રાજ્ય નિવૃત્ત થતું જાય એ પેજના વિશ્વાત્સલ્યની છે. એટલું જ નહીં તે કલ્યાણરાજ અને સર્વોદયના ચાલુ પ્રવાહને અનુબંધ જાળવીને દુનિયાના પ્રવાહ સાથે આગળ વધી રહ્યું છે. કલ્યાણરાજ પહેલું પગથિયું છે. જનશક્તિમાં વિચાર ભરવાનું અને નવી સ્મૃતિ રચવાનું કામ વિનોબાજીએ કર્યું છે. કરી રહ્યા છે. એથી વિચારોની સાથે ઉદય પરિવર્તનની દિશામાં ઠીક ઠીક પ્રગતિ સધાઈ છે પણ જે વેળાસર પરિસ્થિતિ પરિવર્તન ન થાય તે તે પ્રગતિ થઈ ન ગણાય ! ઉલટું અટકી જવાય અને ઉધું પરિણામ પણ આવે. એટલે વિધવાત્સલ્ય પ્રવાહ તેને યથા સમયે યોગ્ય સામગ્રી પૂરી પાડી રહ્યો છે. ટૂંકમાં ત્રણે સંબંધિત છે અને એકમેકના પૂરક છે. - વિશ્વવાત્સલ્ય પ્રવાહ કલ્યાણ રાજને તોડતો નથી છતાં પણ સંશોધન તો કરે છે. જેમકે ગણોતધારા શુદ્ધિપ્રયોગ વડે વિશ્વ વાત્સલ્ય કલ્યાણરાજની કાર્યપદ્ધતિમાં કલ્યાણકારી સંશોધન કરાવ્યું. - ઘણાં કહે છે કે એવા શુદ્ધિ પ્રયોગથી આગ્રહ લદાય છે. એ ખરૂં છે કે લોકો જાગૃત થઈ સત્ય અને અસત્યને છૂટાં પાડે છે અને સત્ય જરૂર લદાય છે. - દંડી સન્યાસી ગેપાળ સ્વામી : અનિષ્ટને શિક્ષા મળે એ દંડ નથી, સત્ય લદાય એ દુરાગ્રહ નથી; એ તો શિક્ષણ અને સત્યાગ્રહ છે. તે ન રહે તે સમાજ ટકી ન શકે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust