________________ 23 હોય અથવા નાના અનિષ્ટને વિરોધ તરત સક્રિય કરતાં, મેટું અનિષ્ટ એ વિરોધને પિતાની તરફેણમાં લઈ જાય એવો પણ સંભવ છે. ત્યાં વિરોધની સક્રિયતામાં વાર લાગી શકે અથવા મૌન રૂપે વિરોધ થાય એ પણ જુદી વાત છે. પણ માધ્યસ્થભાવ કેવળ વિરોધી નથી તે સમજાયું. એવી જ વાત મૈત્રીભાવની છે કે તે દરેક સાથે ન બાંધી શકાય. મર્યાન્તિ મણૂઢિ પક્ષપાતિન–એટલે કે સદ્દગુણીના સદ્દગુણને લીધે તેનો પક્ષપાત થાય, અને દુર્ગુણ હોય તો તેની સાથે પ્રેમથી લડાય પણ ખરૂં. એવું જ પ્રમોદભાવનું છે કે તે કેવળ ગુણ વ્યક્તિ તરફ જ નહીં, ગુણી સંસ્થા પ્રતિ પણ પ્રગટ થઈ શકે. કરૂણા પણ ઉપકારની રીતે નહીં પણ કર્તવ્યભાવે થવી જોઈએ. એ બધી વાતો જાણીને ખૂબ આનંદ થયો. વેલફેર સર્વોદય અને વિશ્વવાત્સલ્ય માટલિયાજી –(શબ્દની સંપૂર્ણ છણાવટ કર્યા બાદ) મૂળે તે પુરોહિત અને પંડા વ.ના “ધર્મના નામે અંધવિશ્વાસ ની સામે બંડરૂપે રાજ્ય ક્રમે ક્રમે બધી બાબતો પચાવી પાડી. પ્રજાને પ્રથમ તો એ ગમે કે ભલે બધું રાજ્ય કરે. પણ પાછળથી પ્રજાને એ ગમતું નથી.. ડેન્માર્કમાં બચ્ચાં અને વૃદ્ધોની જવાબદારી રાજ્ય ઉપાડી લીધી છે. તે માટે પચાસ ટકા કરવેરા ઉઘરાવી લેવામાં આવે છે. નાનાભાઈ અને મનુભાઈ પંચોલી ત્યાં પ્રવાસે ગયા ત્યારે આ અંગે પૂછવાથી વૃદ્ધોએ કહ્યું : “બીજુ બધું તો ગમે પણ અમારાં બાળકો સાથે રહીને જે વાત્સલ્યની આપ-લે થવી જોઈએ તે થતી નથી.” ટુંકમાં રાજ્ય બધી વસ્તુઓ હાથમાં લે એ યોગ્ય નથી અને કલ્યાણરાજ થાય તોયે વાત્સલ્ય તો આવે નહીં. એ આ દેશની સંસ્કૃતિને અનુકૂળ પણ નથી. તે છતાં 1930 થી આ અંગે પ્રયત્ન થઈ રહ્યો છે. સર્વોદય વિચાર વિનોબાજીએ રજૂ કર્યો છે. તેમાં જનશક્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust