________________ [17] કલ્યાણરાજ્ય અને તેની પૂર્વ ભૂમિકા શ્રી દુલેરાય માટલિયા [13-11-61] રાજ્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય એને કલ્યાણ રાજ્ય કહેવામાં આવે છે. આ અંગે અગાઉ ચર્ચા વિચારણામાં થોડેક વિચાર કરવામાં આવ્યો છે. આજે કલ્યાણરાજ્યની પૂર્વભૂમિકા ઉપર વિચાર કરવાને છે. આપણે ત્યાં ભારતમાં રાજ્યનો એક પ્રકાર રહ્યો છે. વર્ષોથી રાજ્ય અંગે એક પ્રકારની કલ્પના-સુખાકારીની કલ્પના બંધાએલી છે. તેમાં રાજ્યોની ફરજમાં, (1) દુષ્ટોને દંડ આપવો, દમન કરવા અને સજજનાને આગળ વધારવા અગર તો સત્કારવા (2) ગાય (પશુઓ), બ્રાહ્મણો (જ્ઞાનીઓ) અગર તો ચારે વર્ણોની રક્ષા કરવી (3) લોકહિત માટે કામ કરવું–વ.નો સમાવેશ થાય છે. જે રાજ્યમાં સજજનને આદર, દુર્જનને દંડ, જ્ઞાની, ગાય તેમ જ દરેક ધંધાવાળાના હિતનું રક્ષણ થાય, ગરીબોને ન્યાય મળે–તે રાજ્ય સારું રાજ્ય કહેવાતું. એવા રાજ્યની એક કલ્પના શ્રી રામચંદ્રના રાજ્યથી પણ પ્રચલિત છે અને રામરાજ્ય એટલે સુખી રાજ્ય એવી લગભગ ધારણા છે. કલ્યાણરાજ્યને મેળ આ રામરાજ્ય સાથે ઘણે અંશે મળતો આવે છે. ભારતમાં રાજાઓના ઉપદેશોમાં આ વાત આવે છે. ભારતના સામાજિક ઈતિહાસમાં, આવું રાજ્ય કયાં હતું, કેણ કરતું તેને P.P. Ac. Gunratnasuri M.S