________________ * 379 ઉકેલ રચનાત્મક રીતે બતાવે છે ત્યારે વિદુરજી તત્ત્વની રીતે જ બધા પ્રશ્નો છણે છે, પણ ઉકેલનું કામ કરતા નથી. એથી જ અનેક જોખમો અને વાવંટોળ વચ્ચે જે જનતાની સાથે રહે છે તે યુગપુરૂષ આપોઆપ બની જાય છે. બીજા પુરૂષો, તત્વચિંતક કે ભક્ત કોટિના શિરોમણી રહે છે, તેમાં અને ખાસ કરીને ભક્તોમાં કોમળતા કરૂણા વિ. નમ્ર ગુણો હોય છે પણું વાવંટોળ વચ્ચે દઢતા. અહિંસા, પ્રતિકાર વગેરે બીજા પાસાનાં ગુણો સાવ નહીંવ્રત હોય છે. આને અર્થ એ નથી કે વ્યક્તિગત. ગ્યતામાં ભક્તો કે તત્વચિંતકો ઓછાં અદકાં હોય છે. સંભવ છે કે વિદુર ભકિતની રીતે કૃષ્ણ કરતાં આપણને વધુ પ્રેરણાદાયક બને; પણ જ્યારે સમાજ અને સમષ્ટિના અનુસંધાને આ બધી વાતો લઈએ છીએ ત્યારે સર્વાગી દષ્ટિએ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને લેવા પડે છે. તેમ આ યુગે ગાંધીજીના સંદર્ભમાં આ બધું જોતાં અનુબંધ વિચારધારા, અને ભાલનળકાંઠા પ્રયોગને લેવો પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust