________________ 376 ગાંધીજીના સંદર્ભમાં જૈન પરંપરાને તેઓ યોગ્ય ભાર મૂકે છે એટલે તે વિચાર સ્વીકારાતો જાય છે.” પરિવ્રાજકેની દોરવણું અને લેકનીતિનું પ્રત્યક્ષ ઘડતર શ્રી ફૂલજીભાઇને ત્યારબાદ વિનંતિ કરવામાં આવી કે તેઓ પણ કંઈક બેલે. શ્રી ફૂલજીભાઈ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના સભાસદ છે. અને ભાલનળકાંઠો ખેડૂતમંડળના માજી પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે :| મારા નમ્ર મતે સંતબાલજી સમાજની શક્તિને સાત્વિક રીતે એકાગ્ર કરીને તેને સાચી દિશા આપવાનું કાર્ય કરે છે. અમારા ગુંદીકેંદ્રમાં પૂ. વિનોબા પધારે તે પહેલાં હું હળવદમાં ભળેલો અને ત્યારબાદ ગુંદી આવતાં પહેલાં બળેલમાં અમે બધા ફરી મળેલા અને પ્રવાસમાં હું તેમની સાથે જ હતો. મને એમના વિચારો અને સંતબાલજીના વિચારે વચ્ચે મેળ બેસે તેવું તે વખતે ન લાગ્યું. કારણ કે વિનેબાજી તો “દેશ અને દુનિયામાં રાજ્ય ન જોઈએ તેવી વાતો કરે છે. ત્યારે સંતબાલજી રાજ્ય ન જોઈએ એમ કહેતા જ નથી. રાજ્યનો નંબર પ્રજા પછી જોઈએ અને પ્રજાને નંબર સાધુઓ, પ્રજાસેવકો પછી જોઈએ. ટુંકમાં રાજ્ય ગૌણ બને તેમ કહે છે પણ જોઈતું નથી, એમ કહેતા નથી. મેં વિનાજીને પૂછ્યું; “અમૂક સ્થળે લાગલગટ એકસે અઢાર ગામમાં ગ્રામદાન થયું એમ કહેવાય છે. માની લઈએ કે 118 ગામો પિતાને બધો વહીવટ કરે છે. તેમને વહીવટ કરવા એક મુખ્ય પ્રતિનિધિ તે જોઈશેને ? માને કે તેમને વિનેબાજી અને રવિશંકર મહારાજ બન્ને પસંદ છે, તે આને નિર્ણય સર્વાનુમતે ન થયો તો ત્યાં શું કરવું?” - વિનોબાજીએ કહ્યું : " ત્યાં પરિવારજકો દરવણી આપશે !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust