________________ ૩૭પ વાપરે છે; સુષુપ્ત લોકમતને જગાડે છે. કાનન સંશોધન માટે પણ તે શક્તિને વાપરે છે. જ્યાં વ્યકિતગત જરૂર પડે ત્યાં ક્રાંતિપ્રિય સાધુઓ પિતાની શકિતને વાપરે છે. કેરલની કોમવાદી સંસ્થા સાથેની બાંધ છોડમાં તથા, દ્વિભાષી તોડવાની કોંગ્રેસની ઢચુપચુ નીતિમાં મુનિ શ્રી સંતબાલજીના સત્તર ઉપવાસ થયા. તેમાં એ બે બાબતો પણ અવાંતર જ હતી. એજ રીતે સાંસ્કૃતિક બાબતમાં ભાષા પ્રશ્નમાં કેંગ્રેસ ઢીલી પડી ત્યારે ગુજરાતના પ્રાયોગિક સંઘે શુદ્ધિ પ્રવેગ કર્યો હતો. એકવાર કોગ્રેસની સામાન્ય ચૂંટણી ચાલતી હતી. ગ્રામ સંગઠનને તરછોડવા અને અવગણવામાં એક કોંગ્રેસી આગેવાન અને તેની આસપાસનાં માણસો કામ કરતાં દેખાયાં. તે વખતે એક તરફ ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંઘ વગેરે કેડ બાંધીને કોગ્રેસને મદદ કરી રહ્યાં હતાં, ત્યારે પણ શ્રી સંતબાલજીએ ચૌદ ઉપવાસ કર્યા હતા. ટુકમાં કેટલીકવાર એવું લાગે છે કે વિનોબાજી સૂત્રરૂપે બેલે છે તે તેનું ભાષ્ય કે આચાર સંહિતા, રાષ્ટ્ર અને વિશ્વના મોરચે શ્રી સંતબાલજીનો ભાલ નળકાંઠો પ્રયોગ આચરી રહ્યો છે. એટલે વિધવાત્સલ્ય વિચારધારાની વધુ નજીકનું બળ સર્વોદય લાગે છે. અપરિગ્રહ, ચિંતન અને સેવાલક્ષીપણુ એ ત્રણે ગુણોની દૃષ્ટિએ પણ નજીક છે. પૂ. મહારાજ શ્રી અને નેમિમુનિ તો એજ કહે છે કે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ પછી અનુબંધ વિચારધારા પ્રમાણે એને જ-રચનાત્મક કાર્યકરોની સંસ્થાનો નંબર આવે છે. આ બધું હોવા છતાં ખરી અગત્ય તે પરસ્પર નજીક આવીને આખી વાત સમજવામાં છે. ઉપવાસોમાં જોખમ તો છે જ; જેમ હમણાં માતર તારાસિંગના ઉપવાસે ખોટાં મૂલ્યોની દિશા લીધી હતી. તે છતાયે, કાનૂનભંગ, દંગલ, અસંતોષ વગેરે કરતાં શુદ્ધ નૈતિક સામાજિક દબાણને માર્ગ ઊંચો જ છે. સમાજને અહિંસાની દિશામાં લઈ જનારો છે. એટલે સંતબાલજી વહેવારૂ નીતિ ઉપર ભાર મૂકે છે. વિનોબાજી જેમ ભકિત ઉપર ભાર આપે છે તેમ સંતબાલજી કર્મયોગ ઉપર ભાર મૂકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust