________________ 371 નામ પહાણી પત્રકમાં ન હોય અને ભૂમિ સંપન્ન (જમીનદાર) કજા છેડાવે તો તેમણે નહીં છોડવા, અવું કાનૂનભંગને પ્રેરનારૂં વલણ લીધેલું. જો કે ભાલનળકાંઠા પ્રાગના અનુભવે મહારાજ શ્રી પૂ. સંતબાલજીએ સર્વ સેવાસંઘના મંત્રીનું ધ્યાન ખેંચ્યા પછી, એ વાતમાં તરત ફેરફાર થઈ ગયે. પણ આ વલણ સામ્યવાદીઓને અનુકૂળ થયું. વિનોબાજીની 3 ભાગ જમીનને અને છેવટે જ ભાગ દરેક કોંગ્રેસી પોતાની જમીનમાંથી આપે તે વાત પણ કેંગ્રેસનેએ સ્વીકારી નહીં. ભૂમિહીનેના અન્યાય સામે થનારા, કાર્યકરોને કાનૂન ભંગના કારણે કે તેવી પ્રવૃત્તિની ગંધના કારણે પકડી લીધા. આ બધાથી પણ વિનોબાજીનું મન આળું બની ગયું અને કોંગ્રેસને પણ તેઓ બીજા પક્ષની જેમ સત્તાલક્ષી પક્ષ માનવા લાગ્યા. ખરી રીતે, તેમણે આ કાર્યમાં વિવેક રાખવો જોઈતો હતો. તેઓ એમ તો કહેજ છે કે કેંગ્રેસ બીજા પક્ષો કરતાં ઘણી સારી છે. પણ કોંગ્રેસ સાથે રચનાત્મક કાર્યકરોને સંબંધ રહે, એમાં તેમને ભીતિ લાગે છે કે કોંગ્રેસની સત્તા લાલચમાં, આપણી પાસેના થોડા ઘણું પણ જે નિસ્પૃહી કાર્યકરો છે તે પણ તણાઈ જશે. વિનોબાજી સૌરાષ્ટ્રમાં આવેલા ત્યારે મેં પૂછેલું. તેના જવાબમાં તેમણે સાફ કહેલું : સંતબાલજીને તે બાપુજીને સ્પર્શ થયો છે તેમને ગુજરાત કેંગ્રેસ જેવી અખિલ ભારતીય કોંગ્રેસ લાગે છે. તેથી તેમણે કોંગ્રેસનું પૂછડું અનુબંધ વિચારધારામાં લગાડયું છે. સતબાલજીની વાત, પ્રયોગ અને કાર્ય શુદ્ધ સર્વોદયના છે. પણ, મને લાગે છે કે કોંગ્રેસને ઘડવાનું વિચારીશું તો આપણું મોટાભાગની બધી શકિત તે કામમાં ખર્ચાઈ જશે, (અને ધાર્યું પરિણામ નહીં આવે.) એટલે જે કંઈ શક્તિ છે તે માત્ર લોકશકિતને ઘડવામાં વપરાવી જોઈએ.” પણ, આમાં વિનોબાજીના ધ્યાન બહાર જે વાત રહી જાય છે તે એ છે કે લોકશક્તિના ઘડતર સાથે જે રાજ્યશક્તિને પ્રજાના અંકુશમાં લાવવાની અને રાજ્યને શુદ્ધ કરવાની વાત નહીં જોડવામાં આવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust