________________ સમજું છું ત્યાં સુધી તેઓ કેંગ્રેસને માને છે અને તેને અંજલિ આપે છે. (1) બ્રહ્મપુરી-ઓરિસ્સા, (2) અસિંકરી મૈસૂર (3) ગૂજરાત. આમ ત્રણ વખતે તેમણે કોંગ્રેસનું ગાંધી પરિવારનું મહત્વનું અંગ ગણીને મહત્વભરી અંજલિ આપી છે-નમ્રતાથી આપી છે. પણ તેઓ મૂળે એ જાતની “એકાંત સન્યાસ”ની વૃત્તિવાળા છે કે તેઓ આંચકા આપીને પલટો કરાવી ન શકે. સર્વાગી કાંતિકારે તે વિશ્વભરમાં અનેક સ્થળે ચકાઓ મારવા પડશે. તો જ તે લોકક્રાંતિ કરાવી શકશે. આપણે જોયું કે કોંગ્રેસમાં, ગાંધીજીના મહાપ્રભાવે કોમવાદી માનસવાળા સાવરકર વગેરે, વિનીત સ્વભાવવાળા શ્રીનિવાસન, સષ, જ્યકર વગેરે, રશિયા તરફ ઊંડે ઊંડે કુણું વલણ રાખનારા ભગતસિંહ વગેરે એની મેળે ખસી ગયા. આજે કોંગ્રેસને બાપુજીના ગયા બાદ દુઃખ વિનોબાનું છે તેવું જ દુઃખ પં. નેહરૂનું છે. તેઓ જુથ રચવાની વૃત્તિવાળા નથી. આનું પરિણામ એ આવ્યું કે સાચું જુથ બળવાન ન હોવાના કારણે, કોંગ્રેસ સાંકડીવૃત્તિવાળાં જુથોનો અખાડે તો જાણે લાગે છે, પણ તે જ રીતે ગુણ વિકાસની ગતિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથેનું સામુદાયિક બળ રહેવું જોઈતું હોય, તે સ્વરૂ૫ દિવસે દિવસે સરી જતું હોય તેમ લાગે છે. અહિંસા, વિશ્વવાત્સલ્ય કે સર્વોદયને અનુરૂપ તે * સંસ્થા રહી નથી. એને ઘાટ આ દિશામાં બદલવો જોઈએ, એમ જરૂર ગાંધીજીના સાચા ઉતરાધિકારીઓને લાગવું જોઈએ અને વિનેબાજીને પણ લાગ્યું છે. તેમણે એ અંગે વાત કરી પણ તેમ ન થતાં આવેશમાં આવી તેમણે ગુસ્સામાં એમ પણ કહી નાખ્યું : “ોંગ્રેસ ખતમ થવી જોઈએ!” પણ પાછળથી એમાં સંશોધન કર્યું કે કોંગ્રેસનું સત્તાલક્ષી સ્વરૂ૫ ખતમ થવું જોઈએ. એ મારા કહેવાનું તાત્પર્ય હતું. આમ થવાનું કારણ શું હતું તે તપાસીએ. પૂરીમાં ભૂમિહીને ગણોતિયાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust