________________ તોનું જોર વધતાં, તે કોઈ સાધક પાસે બળજબરીએ અનિષ્ટોની સ્થાપના કરાવવા ઈચ્છે ત્યારે સાધકે મૌન રહેવું જોઈએ. '. - અહીં વિશેષ સ્પષ્ટતા રૂપે ૧૯૪૨ના આંદોલન પછી જે ભાંગફોડ અને હિંસા થયેલી તેને દાખલો મૂકી શકાય. ગાંધીજી આગાખાન જેલમાં હતા તે વખતે મુંબઈના ગવર્નર સર રોઝર લુમલીએ ગાંધીજીને આ ભાંગફેડની કાપલીઓ બતાવી અભિપ્રાય આપવા જણાવ્યું. ગાંધીજી તે વખતે મૌન રહ્યા. જે એ સમયે તેઓ એમ કહે કે તે સારૂં નથી તે લોકોનો જુસ્સો તૂટી જાય, ભાંગફોડ પ્રવૃત્તિ કરતાં પરતંત્રતાનું અનિષ્ટ મોટું હતું. સાથે જ મૌન રહેવાનું કારણ એ હતું કે જે હિંસાવૃત્તિને ટેકે આપે તે તે વધી જાય એમ હતું. એટલે તેમનું તે વખતનું મૌન મધ્યસ્થ ભાવના સક્રિય મૌન સ્વરૂપને રજૂ કરે છે. ઘણીવાર એવું બને છે કે સાધક જ્યારે પોતાના સિદ્ધાંત માટે અનિષ્ટોને પ્રતિકાર કરતો હોય ત્યારે બળવાન અનિષ્ટ તો તેને તેડી નાખવા પ્રયત્ન કરે છે. એક તો પ્રલોભનોથી અને બીજુ હિંસાથી. આવા સમયે સાધક તૂટી ન પડે એ માટે માધ્યસ્થભાવ કેળવવો જરૂરી છે. એના કારણે આત્મબળ તો મળે જ છે પણ સાથે એમ સમજી લેતાં કે એ તો અનિષ્ટ છે. એને દૂર કરવા માટે ક્યારેક જે પ્રતિહિંસા જાગે છે તેનાથી પણ બચાય છે. આ ઉપરાંત મૌનનો બીજો અર્થ એ છે કે વિપરીત તમાં સંમતિ ન આપવી. એનું પોતાનું અલગ મહત્વ છે. કયારેક સારી અને ઘડતર પામેલી વ્યક્તિઓ પણ અનિષ્ટ તને પિતાની પ્રતિષ્ઠા વધારવા માટે સંમતિ આપી દે છે. ત્યારે એક યા બીજી રીતે તેઓ અનિષ્ટોને પોષે છે. ઘણીવાર વિપરીત વૃત્તિમાં વિરોધ કરવાથી પણ એને પોષણ મળે છે. દા. ત. ઝઘડાળુ માણસને કંઈ પણ કહીએ તો એ એને બળતામાં ઘી નાખ્યા જેવું બનાવી દે છે. આવા સમયે ચૂપ રહેવું, એ જ શ્રેષ્ઠ છે. - માધ્યસ્થ ભાવને બૌદ્ધ દેશનમાં “ઉપેક્ષા”ના રૂપમાં રજુ કરવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust