________________ 18 જ પડશે. ઘણા લોકો આ અંગે કહે છે કે આપણે એવી ખટપટમાં ન ! પડવું જોઈએ. સંસ્થાઓ સાથે આપણે શું લેવા દેવા ! આપણે તટસ્થ રહેવું જોઈએ. એ એક પ્રકારની ભ્રમભરેલી ભૂલ છે. આગ લાગે છે ત્યારે પાડોશમાં લાગી હોય છતાં તેને બુઝવવા માટે સહુ દોડે છે. સહુ જાણે છે કે ઘરમાં આગ લાગી નથી પણ સાથે સાથે તેમને એ પણ ભય તો હોય છે જ કે તે પ્રસરશે તે આપણા ઘર સુધી પણ પહોંચશે. તે વખતે તેની તટસ્થવૃત્તિ એગ્ય ન ગણાય. એ જ રીતે સમાજમાં વધતા અનિષ્ટોને જવાબદાર સાધકે ખાળવાં જ પડશે, રોકવાં જ પડશે અને જરૂર જણાય તો સમૂળગો કાપ પણ મૂકવો પડશે. જે જાગૃત રહીને અનિષ્ટોની શુદ્ધિ કરે તો તેને અનિષ્ટનો ચેપ લાગવાનો જરાય ભ્રમ નથી. માધ્યસ્થ ભાવનાવાળી વ્યક્તિએ તે એ અનિષ્ટને દૂર કરવાનું જે સુંદર પરિણામ આવશે તેને ખ્યાલમાં રાખીને તેને પ્રતિકાર કરવાને છે. ડોકટર દર્દીનું ઓપરેશન કરે છે ત્યારે જાણે છે કે છેવટે દર્દી સારો થશે. એટલે જ તે દર્દીની બૂમો, ચીસો કે વેદનાની પરવાહ કર્યા વગર પણ તટસ્થ રહીને પિતાનું કાર્ય કરે છે. દર્દીને પહેલાં તો એમ જ લાગે છે કે મારે જીવ કપાઈ રહ્યો છે પણ દઈ ગયા બાદ તો તે ડોકટરને આશિષ આપશે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યના સાધકે અન્યાયી, અત્યાચારી, ફર, શોષક, પાપી અને હિંસક પ્રત્યે સિદ્ધાંતની દષ્ટિએ વિરોધ કે પ્રતીકાર તો કરવાને રહ્યો. એવા લોકોને પ્રતિષ્ઠા ન મળે એને પણ એ ખ્યાલ રાખશે. આમ છતાં પણ તે સુધરે અને તેનું ભલું થાય એવું અંતરનું વાત્સલ્ય પણ તેનામાં જરૂર રહેશે. એનું દિલ તે માના દિલ જેવું હશે. જે બાળકના ભલા માટે ધમકાવે, ઠપકો આપે છતાં પણ તેના અંતરે તો બાળકના ભલાની ચાહના હોય ! વિશ્વવાત્સલ્યને સાધક જાણે છે : 2 वेर पापसे, ना पापीसे કેટલાક લોકો માધ્યસ્થ ભાવને મનમાં ખપાવે છે. એ અમુક અંશે સત્ય છે. તે એક કસોટી રૂપે પણ છે. સામાન્ય રીતે અનિષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust