________________ 314. રાજયમાં જે ભ્રષ્ટાચાર છે તેની વિરૂદ્ધ કેવળ વિચાર પ્રગટ કરવાથી, કામ થતું નથી. ચારેય સંસ્થાઓના અનુબંધ દ્વારા ગ્ય રીતે, કાનૂન ભંગ કર્યા સિવાય, નૈતિક પ્રતિકાર કરવામાં આવે તેજ એ કામ થઈ શકે. * * ચારેય સંસ્થાઓ-લોકસંગઠન, લોકસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા' અને ક્રાંતિપ્રિય સાધુઓના અનુબંધની વાત આજના સર્વોદયમાં નથી. તેને પાયે વ્યક્તિવાદ ઉપર મંડાય છે. એટલે ધાર્મિક ક્ષેત્રે વિચારક અને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓ, વાનપ્રસ્થાશ્રમીઓ કે સાધકો સાથે અનુબંધ ન હોઈને ધર્મક્ષેત્રમાં જે અનિષ્ટો છે, વિષમતા છે તેની શુદ્ધિ અદ્યતન સર્વોદય કરી શકતો નથી. સામાજિક ક્ષેત્રમાં પણ વ્યક્તિગત રીતે વિનોબાજી કેટલા પ્રશ્નો ચર્ચે છે પણ તે. દિશામાં સંસ્થા કે સંગઠન વડે એ પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી. એટલે. સમાજનું ઘડતર સર્વોદય કરી શકતો નથી; એની સાથે નવાં મૂલ્યોની સમાજમાં સ્થાપના પણ કરી શકતો નથી. બધા ક્ષેત્રો અને એજ રીતે, વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આર્થિક ક્ષેત્રને અધતન સર્વોદય. કેવળ આધ્યાત્મિક પુટ આપવાનું એક માત્ર કાર્ય કરે છે. તે સિવાયના ધાર્મિક, સામાજિક, રાજનૈતિક શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધી દરેક ક્ષેત્રનાં અનિષ્ટો રૂપી અંધારા ઉલેચવાનું કાર્ય ન થાય તે સર્વોદય (સર્વક્ષેત્ર-ઉદય) કયાંથી થઈ શકે ? આ છે આજના અદ્યતન સર્વોદયને વ્યક્તિવાદ ઉપરનો પાયો અને તેનાં પરિણામો. મહાત્મા ગાંધીજીએ બધાય ક્ષેત્રનાં અનિષ્ટ-અંધકાર ને મટાડવા માટે અનુબંધ યુક્ત સત્યાગ્રહની અહિંસક પ્રક્રિયા ઊભી કરી હતી પણ અધતન સર્વોદયમાં એ વાત સ્વીકારવામાં આવી નથી. એથી આજના, સર્વોદયમાં સમાજની વાતો થાય છે; વિચાર–પ્રચાર પણ થાય છે પણ તે વ્યક્તિ દ્વારા ક્રાંતિની વાતો થાય છે તેની સંગઠિત વ્યાપક પ્રક્રિયા કે સમાજ ઘડતરની પ્રક્રિયા ઉભી કરાતી નથી. એટલે વ્યક્તિ દ્વારા ક્રાંતિ થવાની વાત આકાશ-કુસુમ જેવી બનીને રહી જાય છે.વ્યક્તિ ક્રાંતિની પ્રેરક હોઈ શકે પણ એ પ્રેરણું પામનાર કોઈ સંગઠિત. સમાજ કે સંઘ ન હોય તે તે વ્યક્તિની સાથે જ વિરમે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust