________________ 313 કર્યો હોય તે ભૂમિ-દાન આપીને પ્રતિષ્ઠા પામી જાય છે અને સાધના વગરની આંતરિક શુદ્ધિના અભાવે તે બીજા અનિષ્ટોને ત્યાગ કરી શકતો નથી. આમ આજનો સર્વોદય ધાર્યું પરિણામ “બધાનો ઉદય” લાવી શકતું નથી. આજનો સર્વોદય રાજકીય ક્ષેત્રને તે અડવા માગતો જ નથી; તેનું કારણ એ છે કે સર્વોદયનું સિદ્ધાંત વાક્ય છેઃ “શાસનમુક્ત અથવા શાસન-નિરપેક્ષ સમાજરચના !" આનું પરિણામ એ આવ્યું છે કે જે ગાંધીજી શાસનને સ્પર્શતા અને કોંગ્રેસને ટેકો આપતા તેને જ (શાસન) આજનો સર્વોદય અડવામાં માનતો નથી એટલું જ નહીં ગાંધીજી દ્વારા સત્ય અહિંસાની દિશામાં આગળ વધેલી, ઘડતર પામેલી, લોકશાહીમાં માનનારી અને જૂની; તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પંચશીલને અમલમાં મૂકનારી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને ટેકો આપવામાં પણ માનતો નથી. તે કેવળ સત્તામાં રહેલ કેગ્રેસ પક્ષની ટીકા કરીને રહી જાય છે. શાસન ન જોઈએ કે નિરપેક્ષ શાસન રહેવું જોઈએ એવી વાત તો થાય છે પણ બીજી તરફ શાસન સામાજિક કે આર્થિક ક્ષેત્રમાં જે ડખલગીરી કરે છે, ગમે તેવા કાયદા પસાર કરે છે તે અંગે સર્વોદય કાંઈ બોલતા નથી કે નૈતિક અથવા લોક સંગઠને દ્વારા શાસન ઉપર અંકુશ રાખવામાં કે તેની શુદ્ધિ કરવામાં માનતો નથી પરિણામે નિરંકુશ શાસન વધતું જાય છે. સાંસ્કૃતિક ક્ષેત્રમાં, કૃત્રિમ સંતતિ નિયમન, અંગ્રેજી ભાષાનું માધ્યમ, પ્રાથમિક ધોરણોમાં અગ્રેજીને પ્રવેશ, સહશિક્ષણ વગેરેના પ્રશ્નોમાં વ્યક્તિગત રીતે કરાય વિનોબાજી કે કોઈ સર્વોદય નેતા કંઈ પણ કહી દેતા હશે પણ નૈતિક જનસંગઠન અને જનસેવક સંગ દ્વારા તેના અહિંસક પ્રતિકારમાં આજનો સર્વોદય માનતો નથી. એવી જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ શિક્ષણ પદ્ધતિ બદલવાની વાત વર્ષોથી વ્યક્તિગત રૂપે થયા કરે છે પણ સર્વ સેવાસંધ દ્વારા લોકસંગઠનોને સાથે લઈને સરકાર ઉપર નૈતિક દબાણ લાવવાનું કાર્ય આજના સર્વોદય દ્વારા થતું નથી. એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, માંસાહાર–પ્રચાર, ગેધ કે દારૂ પ્રચારના વિરોધમાં આજના સર્વોદય દ્વારા સંગઠિત અહિંસક પ્રતિકાર થતો નથી. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.