________________ 272 વેતન મળતું; તે લીધું. પછી સીનિયર શિક્ષક થયો. આમાં એક વાત જણાવી દઉં કે જે સમાજમાં હું કામ કરવા ગયા તે સમાજે મને. ઠીક ઠીક અનુકુળતાઓ આપી. પછી શિક્ષકોના પગાર 70 થી 40 થયા. પણ હજુ સુધી શરીર અને મન બન્ને મજુર જેટલાં તૈયાર ન હતા. આમાં મારા અભ્યાસ કે યોગ્યતાની રીતની વાત હું નથી કરતા પણ પ્રાથમિક શાળાના શિક્ષક મધ્યમવર્ગીય છતાં મહેનત અને કરકસરથી જે રીતે જીવે છે તે આદત નહતી પાડી એટલે હવે તે જાતનું સ્વાભાવિક જીવન જીવવા માંડ્યું. - તે સમય દરમ્યાન સંતબાલ વિચારધારાને સક્રિય પ્રયોગ મારી ત્યાંની પરિસ્થિમિમાં શરુ કરવાનું મન થયું. એક બે કાર્યકરોના મનમાં વિચાર આવ્યો : “રચનાત્મક સમિતિએ આ માલપરાની સંસ્થા માટે કાય કર્યું છે. સંસ્થાએ લાખ જેટલો ખર્ચ કર્યો છે અને માટલિયાના મનમાં કંઈક બીજુ આવે અને તે સંસ્થાને ફેરવી નાખે તે કેમ ચાલે?” મને લાગ્યું કે વાત બરાબર છે. મેં સંસ્થાના ટ્રસ્ટીઓ નીમી દીધા. સંસ્થાનું વેતન બંધ કર્યું અને મારાં પત્નીને સીનિયર શિક્ષિકા બનાવવાનો પ્રયાસ કર્યો. અઢી વર્ષે તેઓ સીનિયર થયાં અને તે વખતનાં સો રૂપિયાના વેતનથી ચલાવ્યું. છોકરાઓ મોટા થયાં ને ખર્ચ વળે એટલે સંતબાલ વિચારસરણીને પ્રયોગ કરતાં બન્નેનું વેતન લઈ (શિક્ષક-શિક્ષિકા) ખર્ચ ચલાવ્યા. એ અરસામાં એકવાર માંદો પડયો. બીજાઓ પૂછવા લાગ્યા કે કંઈ ભેગુ કર્યું છે? વીમો લીધું છે ? - મહાત્મા ગાંધીજીનું વાંચ્યા પછી વીમો લીધેલો તે જતો કર્યો હતો. પછી કાર્યકરોએ સલાહ આપી : “સન્યાસી અને વાનપ્રસ્થાશ્રમી ન હોય તેણે પિતાની-પત્નીની અને બાળકોની, બધાને સહસાધના તરીકે વિચાર કરવો જોઈએ.” એ વાત સાચી હતી. માતા ઇચ્છે કે P.P. Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust