________________ ન ગયું, મોટર આગળ નીકળી ગઈ પણ શેઠે કંઈક જોયું અને મોટરને અટકાવી પાછી વાળી. પિલા ગરીબને થયું કે આવડા મોટા શેઠના હૃદયમાં કેટલી દયા છે કે કારને પાછી વાળી મને દાન દેવા આવ્યા છે. પણ તેને ભ્રમ ભાંગી ગયો. તેનાથી થોડે દૂર એક રૂપિયે પડ્યો હતો. શેઠનું તે તરફ ધ્યાન ગયેલું. તેમણે એ રૂપિયા ઉપાડ્યો અને ગજવામાં નાખીને ચાલતી પકડી. તે જોઈને એક લેખકે પ્રસંગને વર્ણવતાં અને લખ્યું છે –“માણસ કરતાં સિક્કાનું મહત્વ પૈસાદારને વધારે છે.” ધને ઉપર ધર્મ અને મર્યાદાનો અંકુશ : જ્યારથી ધન, ધર્મ અને મર્યાદાના અંકુશમાં નથી રહ્યું; ત્યારથી, લોક સમાજમાં વિષમતા પ્રસરવા લાગી છે. એટલા માટે જૈન શાસ્ત્રકારોએ પરિગ્રહ પરિમાણ વ્રતના સંપૂર્ણ પાલન માટે, છ દિશાની મર્યાદાનું વ્રત ઉપભેગ–પરિભોગ અને આજીવિકા મર્યાદા વ્રત અને માનવને ને શોભે તેવા વેપાર-કર્મો ન કરવાનું ફરમાન યથાસંભાગવત અને અનર્થદંડ વિરમણ વ્રત પણ થાય છે. આનું એક જ ધ્યેય છે કે કોઈ પણ પ્રકારે માનવી પિતાના માલિકી હક ઉપર અંકુશ રાખે-મર્યાદા કરે. એટલા માટે ગાંધીજીએ પણ સ્વદેશીવ્રત, શરીરશ્રમ વગેરે વ્રતો બતાવ્યાં છે. એજ પરિપાટીએ વિશ્વ વાત્સલ્ય માલિકી હક મર્યાદાવ્રત કહ્યું છે અને તેના ત્રણ ઉપદ્રત થયાં છે -(1) વ્યવસાય મર્યાદા (2) વ્યાજનો ધંધો કે તેની વૃત્તિને ત્યાગ અને (3) વ્યસન ત્યાગ. આજે જે કંઈ કહેવું છે તે ગૂઢાર્થ કહેવાથી લોકો પોતપોતાના અર્થો લે છે અને પોતાની શિથિલતા દૂર કરવા માટે તેને પોતાની રીતે ઘટાવે છે. એટલા માટે જ સ્પષ્ટ પણે શબ્દો પ્રમાણે ભાવ નીકળે તેને અનુરૂપ “માલિકી હક-મર્યાદ” કરવાનું કહેવામાં આવ્યું છે. ' મહાપરિગ્રહને તદંતર નિષેધ:1 માણસે પિતાની તેમજ સમાજની ભલાઈ માટે પોતાના પરિગ્રહ ઉપર અંકુશ મૂકવો જોઈએ. એવું જગતના વિશાળ હિત માટે આવશ્યક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust