________________ 261 કહ્યું : “દીકરા ! ધન્ય છે તારી જનેતાને! જેણે ગરીબી છતાં પ્રમાણિકતા ગુમાવી નથી.” તેમણે પિતાની પાસેથી બીજી ચાર સોના મહેર કાઢીને પડીકીમાં નાખતા કહ્યું : “જા આને પાછી લઈ જા! તારી બાને કહે છે કે શેઠ પાછું લેતા નથી. કહ્યું છે કે છોકરાના ભણતરમાં એને સદુપયોગ કરજો !" છોકરે પોતાની મા પાસે આવ્યા. તે સમજી ગઈ કે શેઠે જાણી જોઈને ગરીબને સ્વમાનભેર મદદ કરવાની દૃષ્ટિએ એવું કહ્યું છે એટલે તે લેવામાં કોઈ વાંધો નથી, આવી રીતે જુના વખતમાં લોકોને પૈસાદાર વર્ગ ઉદાર હતો. માલિકી ઉપર સહજભાવે અંકુશ રાખતે અને વધારાની સંપત્તિ અને સામગ્રી સમાજની ગણતો. એટલે જ તે વખતે મોટા સંઘર્ષો ન હતા. ગરીબોને અમીરની સંપત્તિ જોઈને અદેખાઈ ન આવતી. જરૂર કરતાં કાંઈ પણ વધારે ન રાખવું એ આદર્શ ગણાતો. લોકજીવનમાં પચાસ વર્ષ પછી નિવૃત્તિ લેવી આદરનો વિષય હતો. - ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. સંગે બદલાતા ગયા. માણસ કરતાં પૈસાની વધારે કીંમત અંકાવા લાગી. પૈસાદારે સ્વાર્થી બનવા લાગ્યા અને પૈસો તેમના ગર્વનું કારણ બન્યો. ગરીબ ભૂખે મરવા લાગ્યા. મહેનત કરવા છતાં પેટનો ખાડો પૂરે ન થવા લાગ્યો. આજે પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર અને વિષમ છે કે ગરીબ તો ભૂખે મરે છે પણ ધનવાન વર્ગ પૈસા મેળવવા માટે એટલા બધા અધમ ઉપાય કરે છે કે તે સમાજની શરમ બનીને ઊભે છે. એક વખત એક શેઠની મોટર સડક ઉપરથી પસાર થઈ રહી હતી. તે વખતે સડકની પગથી ( ફૂટપાથ) ઉપર એક ભૂખ્યો અને ગરીબ માણસ પડ્યો હતે. તે ભૂખથી પીડાતો હતો. શેઠનું તેના તરફ ધ્યાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust