________________ - શ્રીરામ કહે છે: “ભાતા ! તમે બહુજ સારું કર્યું છે. હું જે ઈચ્છતો હતો એજ તમે માંગ્યું છે. હું પોતે વિચારતો હતો કે ભારતને રાજગાદી શા માટે ન મળવી જોઈએ ? રઘુવંશમાં મોટા દીકરાને રાજગાદી મળે એ બરાબર નથી. તે એ વિષે તમે ઠીક કર્યું છે. વનવાસની વાત પણ મારા હિતની કહી છે. વનમાં રહીને હું કુદરતને આનંદ મેળવી શકીશ. ષિ, મુનિ તેમજ આરણ્યકોને મળીશ એ પણ મોટો લાભ થશે!” શ્રીરામે કૈકેયીના વચનમાંથી આમ સારે ભાવજ તારવ્યો. માતા કૌશલ્યા પાસે જઈને, રામે નમીને આ વાત કરી. ત્યારે તેમણે પણ એજ કહ્યું : “જે માતાપિતાની એવી આજ્ઞા હોય તે તારે તેનું પાલન કરવું જ જોઈએ. તું એમજ કર !" કૌશલ્યાએ એમ ન કહ્યું કે તે ખોટું છે અથવા તારે માટે વનવાશ શા માટે ? ' . . " આ વસ્તુ ખૂબજ સમજવા જેવી છે. જે અવળી વાતમાંથી સારા ભાવ તારવવામાં આવે તો સત્યશ્રદ્ધાની પુષ્ટિ થઈ શકે. કદાચ સત્યાર્થી સાધકને કેટલીકવાર પિતાને ન સમજાય અને તે મિથ્યા વરતુને પણ સત્ય માની બેસે; પણ જ્ઞાની પુરૂષો કહે છે કે જે તે અનાગ્રહી હોય તે તેના માટે તે સમ્યક જ છે. i' આચારાંગ સૂત્રમાં કહ્યું છે - આ ... 'समयंत्ति मन्नमाणस्स समिया वा असमिया वा समिया ત્તિ કઢાઇ’ . . - એટલે કે એક સત્યાર્થી સાધક જે વસ્તુને સમ્યક (સત્ય) સમજી રહ્યો છે તે કદાચ જ્ઞાની પુરૂષોની દષ્ટિમાં મિથ્યા હોય તે છતાં, જે સત્યાર્થી અનાગ્રહ હોય તો તેને કોઈ સાચી વસ્તુ સમજાવે અને તેના ગળે ઊતરી જાય અને તે ખોટી વસ્તુને છોડવા તૈયાર હોય તેવો સાધકે સમ્યષ્ટિવાળે છે. તેની તે વસ્તુ સમ્યક છે કારણ કે તેને તે સરળ ભાવું ગ્રહણ કરે છે. ભાવે ગ્રહણ 31 : 6 6 : , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust