________________ 233. ઝાડને બતાવવું શરૂ કર્યું. દરેક પિતે સાચે અને બીજો ખોટો એમ કહી લડવા લાગ્યા. તેઓ રાજા પાસે ગયા. રાજાએ સારથીને બોલાવીને બધી વાત જાણી લીધી હતી. એટલે તેણે ચારેય રાજકુમારોને કહ્યું : “તમે ચારે બરાબર કહે છે ! પણ બીજાના દૃષ્ટિકોણને સમજવાને પ્રયત્ન કરતા નથી. એટલે તમારૂં કથન એકાંશે સત્ય હોવા છતાં, તે સર્વાશે સત્ય નથી. બીજાના મત ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ.” " એમ કહી રાજાએ દરેકે શા માટે મત બાંધ્યો હતો તે સમજાવ્યું. રાજકુમારોને ઘેડ બેસી ગઈ કે દરેક બીજે કહે છે તે પણ તેની દૃષ્ટિએ સાચું છે અને સર્વાશે કેશુડાનું ઝાડ અમુક પ્રકારનું છે. એવી જ રીતે જ્યારે બીનના મત પ્રત્યે શ્રદ્ધા રાખીને વિચારવા ભથાય તો ઘેડ બેસી શકે છે. પણ બુદ્ધિના દ્વાર બંધ કરીને બેસાય તો સર્વાશ સત્યથી વંચિત ન રહેવાય. એટલે સત્યશ્રદ્ધામાં એ વસ્તુ છે કે જ્યાં-જ્યાં સત્ય દેખાય ત્યાં ત્યાંથી તારવવું. બધા ધર્મોમાં રહેલ સત્યને તારવવાની કોશિષ કરવી. એટલા માટે જ સત્યશ્રદ્ધાનું ઉપવ્રત ‘સર્વધર્મોપાસના” છે. એક માણસને પિતાના ધર્મમાં છે એ જ સત્ય અને બાકીનું બધું મિથ્યા છે એમ કહીને હઠ ન પકડવી જોઈએ. તેણે નિરંતર જેટલાં સત્યાંશ છે તેની તપાસ તો કરતા રહેવી જોઈએ; તો જ તે સંપૂર્ણ સત્ય તરફ અગ્રેસર થઈ શકશે. - પ. બેચરદાસજીએ “જૈન, બૌદ્ધ અને આય” એ ત્રણ ધર્મોના સમેન્વય ઉપર એક ચોપડી લખી છે. તેની ભૂમિકામાં એમણે એક સરસ દષ્ટાંત આપ્યું છે :- એક વખતે એક મોટા કુટુંબના ત્રણ મુખ્ય પુરુષે જુદી જુદી દિશામાં વેપાર કરવા ગયા. ત્યાં જઈને તેઓ વસી ગયા. થોડો વખત સુધી તેમને પરસ્પરને પરિચય થોડા જ કામકાજને લીધે ટકી રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust