SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ 232 દરેક આદર આપે છે તેમ બીજાના સર્વભૂત હિતરૂપ સત્ય ઉપર શ્રદ્ધા રાખી તેને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો વિચાર ન થતાં એકાંત સ્વપક્ષી વિચાર કરવાના દોષભાગી થવાય. અને સર્વભૂત હિતરૂપ સત્યના જુદા જુદા કાળે થયેલા પાસાંઓને ન્યાય ન આપી શકાય. બનારસના એક રાજાને ચાર પુત્રો હતા. એકવાર ચારે રાજકુમારોએ સારથીને કહ્યું: “અમારે કેશુડાનું ઝાડ જેવું છે. " તેણે કહ્યું: “ભલે લઈ જઈશ !" પછી એક દિવસ તે મોટા રાજકુમારને વનમાં લઈ ગયો અને તેણે કેશુડાનું ઝાડ બતાવ્યું. તે વખતે પાનખર ઋતુ હતી. એટલે બધાં પાંદડાં અને ફૂલો ખરી ગયા હતાં. ઝાડ જાણે કે સૂકું હું જેવું હતું. તે જોઈને રાજકુમારે મનમાં ધારણ કર્યું કે કેશુડાનું ઝાડ હંઠા જેવું હોય છે. - કેટલાક દિવસો પછી સારથી બીજા રાજકુમારને જંગલમાં લઈ ગયો. તે વખતે પાંદડાં આવી ગયાં હતાં. એટલે લીલાં પાંદડાં વાળું કેશુડાનું ઝાડ હોય છે એમ તે રાજકુમારના મનમાં સજજડ રીતે બેસી ગયું. થોડા દિવસો બાદ તે ત્રીજા રાજકુમારને ઝાડ જોવા લઈ ગયો. તે વખતે ફૂલ આવતાં હતાં. એટલે તેણે એ રીતે કેશુડાની કલ્પના કરી. ત્યારબાદ તે ચોથા રાજકુમારને ઝાડ જોવા માટે લઈ ગયો. આ વખતે ફૂલ લાલ અને પાંદડાં લાલ હતા. એટલે તેણે માન્યું કે લાલ રંગનાં ફૂલ અને પાંદડા વાળું ઝાડ તે કેશુડાનું હોય છે. ચારે જણાયે જુદા જુદા કાળમાં કેશુડાનું ઝાડ જોયું હેઈને દરેકે તે રીતે કલ્પના કરી હતી. એક વાર ચારે રાજકુમારમાં કેશુડાનાં ઝાડ વિષે વાત થઈ અને દરેકે પોતે જે જોયું હતું તે મુજબ કેચૂડાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy