________________ .: –અર્થાત્ વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન જેને સ્વાધીન નથી અથવા જેની પાસે નથી અને તેથી તે તેને ભોગવતો નથી તે ત્યાગી કહેવડાવી શકતો નથી. જે પ્રિય કાંત ભોગે મળવા છતાં પોતાની પીઠ ફેરવે છે, પોતાને હસ્તક મળતા ભોગોને ત્યાગી દે છે તે જ સાચો ત્યાગી કહેવાય છે. : ભગવાન મહાવીરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચારેયને મળીને ચતુવિધ શ્રીસંઘ સ્થાપો. તે એટલા માટે કે આ ચારેયનું 'તાદામ્ય (અનુબંધ) હેવું જોઈએ. તેઓ પરસ્પરના આત્મવિકાસ અને તેથી કરીને સમાજના વિકાસમાં સહાયક અને પૂરક બને. જે તેઓ બ્રહ્મચર્યલક્ષી ગ્રહો અને બ્રહ્મચારી સાધુ-સાધ્વીઓ માટે અલગતા ઈચ્છત, તે બધાયના અલગ અલગ સંઘ રચત.' : ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેની પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપ્યું છે. એની પાછળ એ જ તત્ત્વ છે કે વિશ્વની સર્વાગી સાધના નર અને નારી બન્નેના સોગથી જ થઈ શકે છે. બ્રહ્મચર્યને અર્થ એવો નથી કે પુરુષ સાધક, સ્ત્રી સાધિકાથી અતડો થઈને ફરતો રહે. ભગવાન ઋષભદેવે, બાહુબલિમુનિને પ્રેરણા આપવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને મોકલી. જે અતડા થઈને રહેવાનું વિધાન હોય તો પછી તેઓ કોઈ પુરુષ સાધકને મોકલત. આમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચારી સાધક-સાધિકાઓ, ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ, તેમના માટે અજ્ઞાન અને નિર્દોષભાવે પણ અતડા રહેવું, એક બીજાના પૂરક ન બનવું. એ વિશ્વ અને સમાજના વિકાસની સર્વાગી-સાધનામાં કચાશ રાખવા જેવું છે. જો કે સદ્ભાગ્યે સ્ત્રી–સાધિકા તે પુરુષ સાધકોની હુંફ અને પ્રેરણા ઈચ્છે છે. મીરાંબાઈએ પતિ સાથે દેહસંબંધ તોડ્યો હતો પણ આત્મભાવે ત્યાગ નહોતો કર્યો. અનેક ટીકાઓ થવા છતાં તેમણે પુરુ ની પૂરકતાનો સ્વીકાર હરહંમેશ કર્યો જ હતો.. એ જ કારણસર તે જમાનાના શ્રેષ્ઠ સાધુ છવાગાસાંઈનું સ્ત્રીઓથી અતડાપણું હતું તેમણે પણ તેણુએ ટકયો હતા. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust