SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 203 હતા કે એક જણે ગજવામાં બે સોનામહોર નાખી. આ દશ્ય એક અનુયાયીએ જોયું. એટલામાં એક બીજા જણે તે બને સોનામહોરોને કાઢી લીધી. આટલા બધા માણસો વચ્ચે કાઢી લીધી છતાં લેવા દીધી.. અનુયાયી બોલવા જતો હતો પણ ઈશુએ તેમને ચૂપ કર્યા. સત્સંગ કરી બધા વિખેરાયા ત્યારે પેલા અનુયાયીએ તેમ કરવાનું કારણ પૂછ્યું: “આપે આમ કેમ કર્યું ?" ઈશુએ કહ્યું : “માણસની પ્રતિષ્ઠા કરતાં બે સેનામોનું મૂલ્ય વધારે નહતું. એટલા બધા માણસોમાં જે એ વાતની ખબર. પડત તો એ બાપડાનું શું થાત?” ખરેખર તો એ ગૂડો અને ચેર હતો. તે જ દિવસે તેણે ક્યાંક ચોરી કરેલી. એટલે એક મોટું માણસોનું ટોળું તેની પછવાડે આવતું હતું. તે નાસીને ઈશુને ઉતારે હતો ત્યાં જ પેઠો. ઈશુ મહાત્મા દીવાના ઉજાસમાં વાંચી રહ્યા હતા. આ વખતે તેમણે દીવો ઠારી નાખ્યો. ટોળું બીજે રસ્તે ભાગી ગયું. આટલા ઉપકાર છતાંયે તે ચરે ઈશુ પાસે મૂકેલી એક ચાંદીની દીવડી ચેરી લેવા માંડી. ત્યારે તેને બીજી ચાંદીની દીવડી આપતાં ઈશુએ કહ્યું: આ પણ લઈ જા ! પણ આ ધ સારે નથી !" આ પછીથી પેલા ચેરને વિચાર આવ્યોઃ “મેં સોનામહોર એટલા બધા માણસોની વચ્ચેથી લઈ લીધી. મને ચાર જાણવા છતાં જેમને ચહેરો બદલાયો નહીં. મારી પાછળનાં ટોળાંમાંથી હું બચવા અહીં આવ્યો તો યે મને આશરો આપ્યો. મેં દીવીની ચોરી કરવા માંડી તો બીજી પણ આપવા માંડી, ખરેખર આ દેવી પુરૂષ છે.” તે એમના ચરણોમાં ઢળી પડયો. તેણે ક્ષમા માંગી અને તે સંત થઈ ગયો. ઈશુના ચારિત્ર્યની તેના ઉપર અસર થઈ વિશ્વ વાત્સલ્યની જે ધર્મનિષ્ઠા ન હોત તો આવા ચેર અને ડાકૂ ઉપર પ્રેમ આવી શકત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy