SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 202 એ ઉપર ઓછા ભાર આપશે. પણ ગમે તે રીતે તત્વ જળવાઈ રહેવું જોઈએ. ધર્મનિષ્ઠા, વ્રતોને આચારમાં મૂકવા માટે છે. વિશ્વવાત્સલ્યનું દર્શન જેનું સ્પષ્ટ હશે તે આપણું વ્રતોને આચારમાં મૂક્યા વિના રહી શકશે નહીં. ગ્રામ સંગઠનની જરૂરત : જ સવારના નેમિમુનિએ ગ્રામદાનના સંદર્ભમાં જે કહ્યું તે આમ તો સાચું છે. પણ થોડો વધારે ખુલાસા કરી દઉં. ઓરીસ્સામાં કોરાપુર જિલ્લામાં જ્યારે ગ્રામદાને થયેલાં ત્યારે હું ત્યાં ગયેલો. ભૂમિ સૌને સમાન ન હતી. ચાર પાંચ ગણું અંતરવાળી હતી. દા. ત. એક કુટુંબને એક એકર હોય તો બીજાને ચાર-પાંચ એકર હોય. પણ આ મર્યાદા ગ્રામસમાજે નકકી કરવી જોઈએ. વ્યક્તિમાં સ્વાર્થ અને મમતા વધુ હેવાને સંભવ છે એટલે સમાજ નકકી કરે એ વાત ઠીક છે. પણ ગ્રામસમાજ કયો? સંસ્થા કે સંગઠન સિવાય ગ્રામ-સમાજ ઘડાય નહીં અને ઘડાએલ સમાજ ન બને ત્યાં લગી કાર્યક્રમ સફળ ન થાય; અથવા પછી તેવાં ગ્રામ રાજ્યોને સોંપવા પડે. આથી ત્યાં કોઈ નૈતિક બળ વાળી સંસ્થા હોવી જોઈએ. આ વાત વિનોબાજી સ્વીકારે ત્યારેજ , વહેવાર સરળ થઈ શકે. એટલે ટ્રસ્ટીશિપ કે માલિકી હક મર્યાદાની એ વાત વિનોબાજી સ્વીકારે છે, તેમ ગ્રામ-સંગઠનની વાત પણ સ્વીકારે, તો બનેને તાળો મળી જશે. જીવનદાની માટે તો તેઓ અપરિગ્રહની જ વાતો કરે છે. બાકી ગ્રામસમાજ માટે તો તેઓ માલિકી હક મર્યાદાની જ વાત કરે છે. એવો મારે નમ્ર અભિપ્રાય છે. ધર્મનિષ્ઠાને પ્રભાવ : શ્રી પૂંજાભાઈએ કહ્યું : એક વખત ઇશુ મહાત્મા અને એમના અનુયાયીઓ એક સ્થળે ગયા. તેમના માટે સરઘસ કાઢયું. તેઓ જતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy