________________ 199 એટલા માટે ભાલ નળકાંઠા પ્રદેશમાં, તળાવ વ. દાવવાના કારણે સરકારે ખેડૂતોની જે જમીન લઈ લીધી હતી તેના બદલે રૂપિયા ન અપાવતાં ખેડૂતોને જમીન જ આપવામાં આવી. જેથી ખેડૂતોને નિશ્ચિંતતા રહે. આ રીતે તેમને નિશ્વિત કર્યા પછી જ, માલિકી હક મર્યાદાથી આગળ લઈ જઈ શકાય. શરીર શ્રમ તો ગામડાં, શહેરો, લોકસેવકો તેમજ સાધુઓ વ. બધા એક યા બીજી રીતે કરેજ છે. માત્ર સ્થળશ્રમ હોય તો ભૌતિક્તાની લાલસા વધે એટલે એની સાથે “વ્યવસાયમર્યાદા” પણ વ્રત રૂપે મૂકી છે. એથી તન-મન અને બુદ્ધિ વડે જે વેપાર લોકસેવક કે ખેડૂત કરશે તેમાં મર્યાદા આવશે. શરીરશ્રમ તેમજ બુદ્ધિનો શ્રમ બનેને સમન્વય કરે પડશે. રાષ્ટ્ર ઘાતક ધંધાઓથી લોકોને છોડાવવા પડશે. * અસ્વાદમાં સ્વાદને સર્વથા ત્યાગ સૂચવાય છે–પણ તે વહેવારૂ નથી માટે “ખાન-પાન- શયન વિવેક” અને “વ્યસન ત્યાગ” ને વ્રત રૂપે મૂકવામાં આવ્યાં છે. સાથેજ જીમ સિવાય બાકીની ઈદ્રિયોનો સ્વાદ પણ દૂર થાય એ માટે “નિંદાસ્તુતિ પરિહાર” છે. આ રીતે બાર વ્રતોનો વિચાર કરવામાં આવ્યો છે તેમાં યુગની દષ્ટિ રહેલી છે અને તેથી ધર્મની વિશેષ પૃષ્ટિ થશે અને વિશ્વાત્સલ્યની ધર્મનિષ્ઠા સારી રીતે ખીલશે. ચર્ચા-વિચારણું સજને વસે તે સ્વર્ગ આજની ચર્ચા પ્રારંભ કરતાં પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું : “વ્યકિતગત અને સમાજગત જીવન વ્યવસ્થાને ટકાવનાર સદ્દધર્મને . ભારતીય સંસ્કૃતિએ ઠીક ઠીક સાચવ્યું છે. સંતો, દિવ્યે, મહાજનો, ક્ષત્રિયો એમ અનેક સજજોએ પ્રાણને હેમીને પણ ધર્મરક્ષા કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust