________________ . 191 માલિકી હક મર્યાદા વ્રત માટે ત્રણ ઉપવતો આ પ્રમાણે છે:– (1) વ્યવસાય મર્યાદા (2) વ્યાજત્યાગ (3) વ્યસન ત્યાગ. આ ત્રણે ઉપવ્રતો અસલતને પોષનારાં છે. એ સ્પષ્ટ જ છે. ' ઉપવાની યોજના:-હવે ઉપવ્રતોની યોજનામાં, કયાં કયાં અને કેટલો તફાવત બીજી વ્રતયોજનાઓ સાથે રહેલો હોય છે તે જોઈએ. બ્રહ્મચર્યવ્રતના ત્રણ ઉપવ્રત ખાન-પાન-શયન વિવેક, વિભૂષા ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગનો સમાવેશ જૈનધર્મના સાતમા ઉપભોગ-પરિબેગ-પરિમાણમાં વ્રતમાં તેમજ ગાંધીજીના વ્રતોમાં, અસ્વાદ બતમાં થઈ જાય છે. ખાન-પાન-શયન વિવેક, વિભૂષા-ત્યાગ અને રાત્રિભોજન ત્યાગ નહોય તો બ્રહ્મચર્યનું પાલન રૂડી રીતે થતું નથી. વૈદિક ધર્મમાં “યમોને પાળવા માટેના જે નિયમો બતાવ્યા છે તેમાં શૌચ (શુદ્ધિ) અને નીચને સમાવેશ થઈ જાય છે. એવી જ રીતે સત્ય શ્રદ્ધાના ત્રણ ઉપવતો સર્વધર્મ ઉપાસના ક્ષમાપના અને નિંદાસ્તુતિ-પરિહાર ગોઠવ્યાં છે, તે જૈન ધર્મમાં સામાયિકવ્રત, પિષધ-વ્રત તેમજ અનર્થદંડ-વિરમણું-વ્રતમાં આવી જાય છે. ગાંધીજીએ તે પ્રમાણે “સર્વધર્મ સમભાવ” “નમ્રતા અને અભય એ વ્રત ગોઠવ્યાં છે. - “માલિકીહક મર્યાદા” ના ત્રણ ઉપવ્રત, વ્યસન ત્યાગ, વ્યાજ ત્યાગ અને વ્યવસાય મર્યાદાને બદલે જેનધર્મમાં અનર્થદંડ, વિરમણું વ્રત, દિશાપરિમાણ વ્રત, દેશાવકાશિક વત, અતિથિ સંવિભાગવત તેમજ ઉપભોગ પરિભોગ વ્રતમાં કર્માદાન-ત્યાગ તરૂપે ગોઠવેલાં છે. એવી જ રીતે ગાંધીજીએ શરીર શ્રમ, સ્વદેશી વ્રતો ગોઠવ્યાં છે. : + આમ આ વ્રતની ગોઠવણ પાછળ એ દષ્ટિ રહેલી છે કે તેમાં બધા ધર્મોની દષ્ટિએ વધારે યુગપયોગી ખાસ-ખાસ વ્રત અને ઉપવ્રતને સમાવેશ કરી લે. જેમ ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવાનો નિષેધ છે અને તે ત્યાં વ્રત રૂપે છે. તેને અહીં ઉપવ્રત તરીકે ગોઠવવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust