________________ 184 આદતપરી એટલે મારી ચેરીને આરોપ પણ તેના ઉપર આવવા લાગ્યો. પણ મને તે વખતે આ ડંખતું નહીં. . . . . . ત્યારબાદ, કચ્છમાં જવાનું થયું. પિસા-પ્રતિક્રમણમાં રસતો જેને કુળમાં જન્મવાના કારણે ખરાજ. પછી ધર્મને અભ્યાસ જરા ધીરજ અને ઊંડાણથી કર્યો. બીજુ સાહિત્ય પણ વાંચવા લાગ્યા. ગાંધીજી અને સંતબાલજીનું સાહિત્ય પણ જોવામાં આવ્યું. ઊંડો વિચાર થવા લાગ્યા. “જીવનમાં નીતિ નિષ્ઠા ન હોય તે વતનિષ્ઠા પ્રાણવાન નથી બનતી !" આ વિચારોના લીધે પૂર્વની ભૂલો ડખવા લાગી. ચાર-પાંચ વર્ષો પહેલાં મુંબઈ આવ્યો. ત્યારે પૂર્વ જે રૂા. ૨૦૦-૨૫૦ની ચોરી મારા હાથે થયેલી તેને હાર્દિક એકરાર કર્યો. જના શેઠને પ્રેમ ઘટયો નહીં, પણ વળે. તેમણે કહ્યું : “અમે તે આવું ઘણું જાણી જોઈને કરીએ છીએ પણ અમને તમારી જેમ પસ્તાવો થતો નથી.” મારે કહેવું જોઈએ કે હજુ જીવનમાં પૂરેપૂર સત્ય આવ્યું નથી પણ ભૂલ થતાં ડંખ થાય છે. , ચારેક દિવસ પહેલાં માટુંગા આવતાં ઘાટકોપરથી પ્રથમ વર્ગમાં ચઢી ગયો. ચઢયા પછી જ ખબર પડી કે આ તે પ્રથમ વર્ગ છે. ત્રીજા વર્ગની ટિકીટ છતાં પહેલા વર્ગમાં ચઢાય કેમ? એ મનમાં ખવા લાગ્યું અને સીટ ઉપર ન બેઠો. માસ્તર આવ્યા અને વધારાને રૂપિયા માંગ્યો ત્યારે પહેલાં તો સહેજ ખચકામણ થઈ પણ ભૂલ કરી હતી, એટલે તે ભરી આપે અને પછી સમાધાન થતાં શાંતિ થઈ. કોઈકવાર પૈસાની તંગીના કારણે ભૂલ થઈ જાય; જેમકે કોઈ વાપરેલી ટિકીટ હોય તો તેને ફરી ઉપયોગ કરવાની લાલચ થાય પણ તેવી ભૂલ ડંખે છે ખરી. મને આનું કારણ તે નીતિનિષ્ઠાની આદત કેળવી એજ લાગે છે. ઘણા લોકો એને વેદિયાવેડા કહે છે પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust