________________ 183 આમ તો વેશ્યા પણ કંગળી ગઈ હતી અને પહેલવાનને પણ રસ નહોતો રહ્યો. પણ સ્વામીજીના વચનોથી બન્નેમાં હૃદય-પલટો થવા લાગ્યો. પહેલવાનને પણ પિતાના કૃત્યથી પસ્તાવો થવા લાગ્યા. સ્વામીજીએ તેને કહ્યું: “પેલી બાઈથી ઘણા ન કરશો. તેને હદય પલટો આમ નકાની જેમ સાચા સાધુ પોતે તો તરતા હોય છે પણ અનેક ને તારે છે. એ તેમની નીતિ-નિષ્ઠાને પ્રભાવ છે. 5. જવાહરલાલ નેહરૂ પણ વિશ્વ વાત્સલ્યની નિષ્ઠાવાળા જણાય છે. એક નજરોનજર જોયાને પ્રસંગ છે. તેઓ ભિલાઈના કારખાનાનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. એક રીક્ષાવાળાએ વચમાં તેમની મેટર રકાવી અને છૂરો કાઢેલો પણ તે ઊભો જ રહી ગયો. તેનાથી કંઈજ ન થઈ શકયું. - પંડિતજીએ તેને પૂછ્યું: “ભાઈ! તું કોણ છે ! તને કોણે આવું શીખવ્યું !" બાપડે કશું બોલી ન શકયો. તેના ક્ષોભને પારાવાર ન રહ્યો. કોને ખબર દીવાનાપણામાં આમ કર્યું કે કોઈની ઉશ્કેરણીથી પણ તે પંડિતજી આગળ ભોઠે પડી ગયો. થોડીવાર રોકાઈને પંડિતજી વિદાય થયા. આ ગાંધીજીની અહિંસાની તેમના ઉપર પડેલી નીતિનિષ્ઠાને જ પ્રભાવ હોઈ શકે. નીતિનિધ્ધની આદત કેળવીએ ! " શ્રી દેવજીભાઈ “મારા પિતાના અનુભવો કહું. નીતિનિષ્ઠાની આદત કેળવતા જીવન કેટલું સુધરે છે? સં. 1882 થી 1986 સુધી હું મુંબઈમાં કાપડની દુકાનમાં નોકરી કરતો. લાગ આવે ત્યારે ગલ્લામાંથી કે ધર્માદા પેટીમાંથી - રૂપિયા-પૈસો કાઢી લેતા. બીજી બાજુ વાદેવાદે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઉપવાસો કર્યા એટલે મારી પ્રતિષ્ઠા બહાર ખૂબ વધી. મારી સાથે એક રાજગાર પણ દુકાનમાં કામ કરતો. તેને ચોરીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust