________________ 171 ઉપર તપાસ કરવા માટે મોકલ્યા; પણ પત્તો ન લાગ્યો. ફૂલજીભાઈ બીજા સાથીઓને લઈ ટ્રેનમાં ઉપડયા અને દિલ્હી પહોંચ્યા. ત્યાં પેલા વાઘરી-વાઘરણને પત્તો મળ્યો. તેમણે હજુ કન્યાઓ વેચી ન હતી એટલે ત્રણે કન્યાને લઈ ખંભાત આવ્યા અને તેમના મા-બાપને પી. બધાં ખુશ થયા અને તેમને બહુ ઉપકાર માન્યો એટલું જ નહીં સમસ્ત જ્ઞાતિ તરફથી તેમનું સન્માન કર્યું અને માનપત્ર આપ્યું. શ્રી 'ફૂલજીભાઈએ કહ્યું : “આ તો અમારી માનવતાની ફરજ હતી. એમાં અમારા બધા સાથીઓને સહયોગ ન હોત તે અમે એકલા કંઈપણ કરી શકવાના ન હતા. અમને પૂ. સંતબાલજી મહારાજે આવી નીતિનિષ્ઠા બતાવી છે અને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા પણ તેમની પાસેથી જ અમને મળી છે. " . એ ઉપરાંત શ્રી ફૂલજીભાઈએ જવારજના હરિજનના પ્રશ્નો જે રીતે ઉકેલ્યા તે પણ પ્રશંસનીય છે. જવારજ ગામમાં ભંગી-હરિજનના ઘર કાચા માટીનાં અને ભાંગ્યાતૂટયાં હતાં. તેઓ ઘણી મુશીબતે સહીને રહેતા હતા. શ્રી ફૂલજીભાઈએ વિચાર્યું કે: “અમે સારા મકાનમાં રહીએ અને એ લોકોને ઝૂંપડાં પણ તૂટેલાં ! અમે એની મહેનતનુ ખાઈએ અને એમને એટલી પણ મદદ ન કરી શકીએ ?" એટલે ફૂલજીભાઈએ નક્કી કર્યું કે જ્યાં સુધી એમના મકાનો ન બંધાઈ જાય ત્યાંસુધી હું ખાંડ નહીં ખાઉં. તેમણે ગામના બીજા ભાઈઓને વાત કરી, તેમણે સાથ આપે, કંઈક સરકારે મદદ કરી અને અંતે હરિજને માટે સારાં મકાને બંધાઈ ગયાં. તેમનો એક બીજો આર્થિક પ્રશ્ન પણ હતો. તેઓ પારકા ખેતરમાં કામ કરે; પિતાનું ખેતર મળે નહીં. એમને લગ્ન જેવા પ્રસંગે રૂપિયાની જરૂર પડે તે ધીરનાર પાસેથી 200-250 મેળવે પણ પછી આખી જિંદગી તેની વેઠ કરવી પડે. આ ગુલામીના દુ:ખમાંથી. મુક્ત કરવા માટે ફૂલજીભાઈએ સહકારી મંડળીમાંથી પોતાની જવાબદારી પાછો નહીં આવે પણ એ શંકા ખોટી ઠરી. તેમણે પૈસા પાછા વળ્યા. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust