SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ 1170 કરે છે. તેમની પ્રખર નીતિનિષ્ઠાને કારણે તેઓ આડકતરી રીતે વ્રતનિષ્ઠા તરફ વળતા જાય છે. જેથી બીજા ઉપર પણ તેમને પ્રભાવ પડે છે. - એક વખત પંડિતજી એકલા જતા હતા. રસ્તામાં એક ગૂડે એક 'બાઈને રંજાડતો હતો. પડિતજીએ તે જોઈને પેલા નૂડાને હાથ ' પકડ્યો અને કહ્યું : “અરે ! આ શું કરે છે? તને શરમ નથી આવતી ?" પેલો ગૂડે શરમાઈને નાસી છૂટયો. એવો જ એક બીજો પ્રસંગ છે કે તેઓ મોટરમાં જતા હતા. ત્યારે લોકોએ ઉશ્કેરાઈને પત્થરને ભારે ચલાવ્યું. પંડિતજી શાંત રહ્યા અને મોટર અટકાવીને નીચે ઉતર્યા. તેમણે પેલા ઉશ્કેરાયેલા ટોળાને કહ્યું : “ભાઈ! તમે આ શું માંડયું છે. શા માટે આવું કરે છે ?" પેલા લોકો નીચું મેં કરીને ચાલ્યા ગયા. બ્રહ્મચર્યનું તેજ હમેશાં પંડિતજીના ચહેરા ઉપર જોઈ શકાય છે. તેમણે સ્વેચ્છાપૂર્વક પરિગ્રહ પણ ઓછો કરી નાખ્યો છે. આમ તેમની વ્રતનિષ્ઠા નીતિનિષ્ઠા સાથે વણાઈ ગઈ છે. એવી જ નીતિનિષ્ઠા ભાલ નળકાંઠો ખેડૂત-મંડળના ખાસ કાર્યકરોમાં પણ જોવા મળે છે. તેથી તેઓ સહજ વ્રતનિષ્ઠા તરફ વળેલા હોય છે. એક વાર ખંભાતની ત્રણ કન્યાઓને એક વાઘરી ફોસલાવીને દિલ્હી વેચવા લઈ જતો હતો. કન્યાના માતા પિતાઓએ તેમની ખૂબ શોધ કરી પણ કાંઈ પત્તો ન ખાધો. છેવટે છાપામાં જાહેરાત આપી. જવારજના ખેડૂતમંડળના માજી પ્રમુખ શ્રી ફૂલજીભાઈ છાપું વાંચતા હતા; તેમાં એમણે વાંચ્યું. સગવશ તે દિવસે જ સાંજે જવારજની એક ભરવાડણ બાઈ સીમમાં ભેંસો ચરાવવા જતી હતી. તે વખતે તેણે આ વાઘરી-વાઘરણ પાસે ત્રણ છોકરીઓ જોઈ. તેઓ ત્યાં રસોઈ કરતા હતા. એણે આવીને ફૂલજીભાઈને વાત કરી. છાપામાં વાંચ્યું હતું એટલે તાળો મળી ગયો. પણ શોધખોળ કરવા જાય ત્યાં તે વાઘરી કન્યાઓને લઈને જતો રહ્યો. આજુબાજુના ગામડામાં ચારે બાજુ લોકોને ઘોડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy