SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ એ છે. તેઓ જૈનધર્મમાં દીક્ષિત થયા છે, તેના આચાર-વિચારને વફાદાર રહી; વિશ્વને વાત્સલ્ય રસથી તરબોળ કરવું છે; બધા ધર્મોને સમન્વય કરીને. એટલે તેમણે બધા ધર્મોના તત્વજ્ઞાન અને સદાચારને લઈને વિશ્વમાં ધર્મનિષ્ઠા ઊભી કરવા આ વ્રતની ગોઠવણ કરી છે. ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા), અને નીતિનિષ્ઠા બને મળતાં વિશ્વવાત્સલ્યની આ ચારનિષ્ઠા સંપૂર્ણ બને છે. માત્ર વ્રતનિષ્ઠા હોય અને નીતિનિષ્ઠા ન હોય તો આચારતિષ્ઠા કોને જડ, કાંતે ઝનૂની, કાં તો અનઘડ વિધાન કરનારી અગર તો ક્રિયાકાંડમાં જ રાચનારી, એકાંગી અને અપંગ બની જાય છે. નીતિનિષ્ઠા આચારનિષ્ઠાને પાયો છે તે વ્રતનિષ્ઠા એનું ચણતર છે. બન્ને મળતાં વિશ્વ વાત્સલ્યને મહેલ ઊભો થઈ શકે. નીતિનિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારે અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક વ્યકિત કે સંસ્થા (-ખેડૂતમંડળ” ગોપાલક મંડળ, ગ્રામોદ્યોગી મજુર મંડળ [ ગ્રામસંગઠન ], માતૃસમાજ, પ્રાયોગિકસંધ, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ, વિશ્વવલસંઘ, (કાંતિપ્રિય સાધુસન્યાસી-સાધ્વીઓ સંઘ - ભવિષ્યમાં રચાય તો) તેમજ રાજ્ય સંગઠન (કાંગ્રેસ)માં ઉપરની સંસ્થાઓને અનુલક્ષી કાર્યો કરતી હોય તેવી વ્યકિતઓમાં હેવી જરૂરી છે. સાધુ વર્ગમાં તો બન્ને નિકાઓ સર્વશપણે હોવી જરૂરી છે. જનસેવકોમાં નીતિનિષ્ઠા અને આંશિકરૂપે વ્રતનિષ્ઠા હેવી જરૂરી છે. તથા સંગઠનમાં અને રાજ્યસંગઠનમાં ગયેલા વિશ્વ વાત્સલ્યમાં માનતા લોકોમાં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. નીતિનિષ્ઠા પછી ધર્મનિષ્ઠા તે સહુમાં પિતપોતાના ધોરણ પ્રમાણે, કોઈમાં એકાંશ રૂપે, કોઈમાં અણુવ્રત રૂપે, કોઈમાં સર્વાશ રૂપે તે કોઈમાં મહાવત પ્રમાણે હશે. ' નીતિનિષ્ઠા વગરની વતનિષ્ઠાથી એવું બને છે કે વ્રતો જડ બની જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે એક વ્યકિત જાતે વ્રતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy