________________ જશે. ધર્મનિષ્ઠાના એક અંગરૂપે તેનું ગ્ય સ્થાને જળવાઈ રહેશે. પણ સાધકનું નિશાન તે સંપૂર્ણ ધર્મનિષ્ઠા હેવું જોઈએ. , એક ખેડૂત ખેતર ખેડે છે અનાજ માટે; ઘાસ માટે નહી. ઘાસ તો અનાજની સાથે તેને આપમેળે મળી રહે છે. એટલે ખેડૂતનું મુખ્ય લક્ષ્ય અનાજ પેદા કરવાનું હોવું જોઈએ. પાસનું ગૌણ રહેવું જોઈએ. ! : એવી જ રીતે હિંદુ, ઈસ્લામ, ઈસાઈ, બૌદ્ધ કે જૈન ધર્મો પૈકી જ એક ધર્મ ઉપર નિષ્ઠા રાખવામાં ધર્મનિષ્ઠા માની લેવામાં આવે તો 0 પછી દરેક માણસને કેવળ વંશપરંપરાગત ધર્મજ મળે અને તેમાં પણ તેની ઉપરની છલી બાહ્ય રીતે જ. દા. ત. કોઈ જૈનને ત્યાં જો એટલે તેને વારસામાં જૈન ધર્મ મળે છે, જ્યારે ખરેખર તો તેનું જૈનત્વ સત્ય અહિંસાના વ્રતાચરણ વિ. પછીજ પ્રગટવું જોઈએ. પણ તેમ થતું નથી. દેવ-ગુરુ-ધર્મને પાઠ ભણાવી તેને સમક્તિ આપવામાં આવે છે ભલેને પછી તે બધી રીતે જૈનત્વ વિરૂદ્ધનું આચરણ કરતો “હેય છતાં તે જૈન થઈ જાય છે. ભૂલથી આને ધર્મનિષ્ઠાનું રૂપ આપી દેવામાં આવે તો તપ-ત્યાગ-બલિદાન કરવાની ભાંજગડ કે નિરતિચાર વ્રતાચરણની કડાકૂટ કોણ કરે! પણ આવી સસ્તી ધર્મનિષ્ઠાનું જે "ભયંકર પરિણામ આવે છે તે એ કે સાચો ધર્મ કદિ પ્રગટ થતો નથી અને લોભ કે ભય અથવા વેપારની રીતે ધર્મ–ભ્રમનું પ્રચલન થઈ જાય છે. આજના દરેક ધર્મોમાં આ ખોટું તત્ત્વ ઘણું ઉંડાણ સુધી પ્રવેશી ગયું છે એટલે ધર્મનિષ્ઠાને વ્યાપક રીતે અર્થ કરવાને છે. કોઈ એમ પણ કહી શકે કે મુનિશ્રી સંતબાલજીએ આ બાર વ્રતની ગોઠવણ કરી છે, તેઓ જૈનધર્મના સંસ્કારોથી ઉછરેલા અને ઘડાએલા છે માટે આ વ્રત જૈનધર્મના હશે. પણ, તેવું નથી. તેમને સર્વ ધર્મ સમન્વય કરવાથી આ વ્રતો લાધ્યાં છે. બધા ધર્મોની : સ્થાપના પાછળ તેમણે વિશ્વ વાત્સલ્ય રેસના પ્રવાહને વહેતો અનુભવ્યો છે અને સત્ય મેળવ્યું છે કે બધા ધર્મોને સાર વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust