________________ [8] વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા [4-9-11] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગે પૈકી નીતિ-નિષ્ઠા ઉપર આ પહેલાં વિચાર કરી લેવામાં આવ્યો છે. આચારનિષ્ઠાની પૂર્વ ભૂમિકા નીતિનિષ્ઠા છે તો પશ્ચાદભૂમિકા ધર્મનિષ્ઠા છે કેવળ નીતિનિષ્ઠાથી આચાર સંપૂર્ણ બનતું નથી પણ એ નીતિને અનુરૂપ ધર્મ (વ્રત) નિષ્ઠા હતી પણ આવશ્યક છે. તે, વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા શું છે? અહીં ધર્મનિષ્ઠા એટલે પ્રચલિત કોઈ પણ એક ધર્મ, (જૈન, બૌદ્ધ, ઈસાઈ વૈદિક) પ્રત્યે જ નિષ્ઠા રાખવી એવો એનો અર્થ નથી. તેવીજ રીતે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન ઉપવાસ કે બાહ્ય ક્રિયા કડોમાં નિષ્ઠા રાખવી એ અર્થ પણ એનો નથી. એવી જ રીતે પુણ્યાદિ, દાન વગેરેનાં રાહતનાં કાર્યોની નિષ્ઠાને ભાવ પણ એકાંગી રૂપે આવતો નથી. સાથેજ સ પ્રદાયવાદને પ્રશ્ન તો આના અર્થમાં ભળતો જ નથી. વિશ્વ વાત્સલ્યની ધર્મ નિષ્ઠાનો અહીં જે સ્પષ્ટ અર્થ લેવાને છે તે એ કે વિશ્વ વાત્સલ્યને લક્ષ્યમાં રાખી, વિશ્વધર્મોની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન અને સદાચારને માધ્યમ રાખીને રચાયેલાં વ્રતો ઉપરની નિષ્ઠા. સમાજને નીચે પડતો બચાવવા ધારણ કરવા પિષણ અને રક્ષણ કરવા સવ સંશોધન કરવા માટે ધર્મ તરવની અનિવાર્ય જરૂર દરેક યુગમાં રહી છે. તે તે યુગમાં દેશ, કાળ, પરિસ્થિતિ, પાત્ર વ. ને જોઈને કોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust