________________ 157 * રાઉયિ. છે. આ જમીન પ્રમાણે ગામના વીશ ફૂટ જાહેર રસ્તાની જગ્યા તેમ જ ચોક પણ ભેળવી લીધો. મંડળમાં દેરાવાસી ભાઈઓ પણ છે. લોકોને વિરોધ થયા. તેમણે ડેપ્યુટી કલેકટર સુધી દરેક અમલદારને ફેડેલા. હવે તેમણે મંડળના સભ્યોને ફોડવાનો પ્રયત્ન શરૂ કર્યો. પણ કોઈ ડગ્યું નહીં. છેવટે તેમણે પંચ સ્વીકાર્યું પણ તેમનો ફેંસલો માન્યકર્યો નહીં. અમારા મંડળના આગેવાન તેમના સગા થાય. તેમણે નમતું ન આપ્યું પણ તાદાઓ સાથે તટસ્થતાની વાતને લીધે તેમજ વ્યકિત કરતાં સંસ્થા મહાન છે, એ સિદ્ધાંત આગળ બધું ગૌણ માની. સંસ્થા ટકી શકી. સંસ્થાને ટકાવવી આ રીતે કઠણ હેય છે. સંસ્થાને ટકાવી રાખવા માટે સંસ્થાના નીતિ નિયમોમાં મક્કમતા, હેવી જોઈએ, સુકાની દૃઢ હો જોઈએ તે જ જુદા જુદા વલણવાળા સંસ્થાના સભ્યોને ટકાવીને રાખી શકાય. જે સંસ્થા આમ ટકે છે, તેને પ્રભાવ સમાજમાં પડે જ છે. દશ હજારની તખ્તી મારવાના તાજા પ્રલોભનને વશ ન થયાનું ખમીર વિશ્વવાસલ્ય પ્રાયોગિક સંઘ માટે નવું નથી. ' .. ધર્મ દીવાલ છે પણ તેનો પાયો નીતિ છે. ભલે સંસ્થા નાની હોય પણ ચેમેરના વિરેધ વચ્ચે જે ટકી શકે છે, તે જ મહાન કાર્ય કરી શકે છે. વ્યકિત કે સંસ્થાના વ્રતો ગમે તેટલાં હોય પણ જે નીતિ નિષ્ઠાની સાવધાની ન હોય તો વખત આવે તેને પડી ભાંગતાં વાર લાગતી નથી. . . . . આચરણ એજ નિષ્ઠાનું માપ , - શ્રી માટલીયાએ કહ્યું: “મારા નમ્ર મતે ગાંધી-વિચારધારાને આગળ લઈ જનારી શાખાઓ પૈકી વિશ્વ વાત્સલ્ય અને સર્વોદય એ બને શાખાઓ છે. આ બન્ને ગાંધી વિચારનું સંશોધન કરનારી પ્રક્રિયાઓ છે. ગાંધીજીએ કહ્યું: “સત્ય એજ ઈશ્વર છે. તેની ખોજમાંથી મને અહિંસા મળી છે.” અત્યારસુધી બ્રહ્માંડમાં રહેલા સત્યનું તત્ત્વજ્ઞાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust