________________ ૧પ૬ પશથી લીધેલ દાખલો . આ એક બીજા ઘરની વાત છે. : એક ભાઈ એ છોકરાંઓની દેખભાળ માટે ફરીથી લગ્ન કર્યું. બાઈએ આગલા ઘરનાં છોકરાંઓને પારકાં જાણ પજવ્યાં. ' . એકવાર એ બનાવ બન્યા કે બે કૂતરીઓ સાથે વીયાઈ. એક “મા” રોટલો લેવા દેડી ને સડક ઓળંગીને જતી હતી કે મોટર નીચે ચગદાઈ ગઈ પિોળનાં છોકરાંઓ વિચારમાં પડ્યાં કે “શું કરવું?” કોઈને સૂઝયું એટલે એ બચ્ચાંઓને બીજી કૂતરીનાં બીજાં બચ્ચાં સાથે સોડમાં મૂકી દીધાં; અને તે ઉછરવાં લાગ્યાં. આ દશ્ય પિલી બાઈએ જોયું. તેને પસ્તાવો થયો અને વિચાર જાગ્યો: “હું કેવી અભાગણી ! આ પશુ સમજે છે તેટલુયે માણસ થવા છતાં ન સમજી!” તેને વર્તાવ બદલાઈ ગયો અને આખું ઘર સભર બની ગયું. આમ નીતિની વાતથી જ સમાજ સભર રહી શકે નહીંતર સુકાઈ જાય. સંસ્થામાં નીતિવાન કાર્યકરે : .. શ્રી બળવંતભાઈ કહે -" સવારની વાતમાં . મુનિશ્રી નેમિચંદ્રજીએ સંસ્થાની નીતિનિષ્ઠા વિષે કહ્યું છે તે સાચું છે. સંસ્થામાં ‘દાખલ થનાર સભ્યો સાચા અને સંસ્થાની નીતિને વફાદાર ન રહે તે તેવા સભ્યોને લઈને સંસ્થા બગડે છે. સંસ્થાની કસોટી - નીતિનિષ્ઠા શ્રી દેવજીભાઈએ નીતિનિષ્ઠા ઉપર અડગ રહેવું એ સંસ્થાની કસોટી રૂપે છે તે અંગે દાખલો આપ્યો: અમારા ભચાઉ ખેડૂતમંડળ માટે એક કસોટી હમણાં થઈ મુંબઈમાં વસતા અને ધનવાન કહેવાતા એક ભાઈએ ત્યાં એક જમીનમાં વધુ જમીન અણહકની મેળવી લીધી. તેમણે ગામમાં દેરાસર કરાવ્યું Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.