SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫ર . (7) સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું સાતમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકનું દરેક કાર્યમાં સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય હોવું જોઈએ. આ ત્રિપુટીને લક્ષમાં રાખી સંસ્થા વડે લવાદથી ઝઘડા પતાવવા કે પ્રશ્નો ઉકેલવા જોઈએ. અન્યાય, અત્યાચાર સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર શુદ્ધિપ્રયોગ દ્વારા કર જોઇએ. એવી જ રીતે તોફાન કે હુલ્લડના સમયે ઘડાયેલા શાંતિ સેવકો વડે શાંતિ સ્થાપવી જોઈએ. એમ કરવા જતાં પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહ (સંપત્તિ) હેમવાં પડે તે તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. . જે સત્ય, પ્રેમ અને ન્યાયને લક્ષમાં ન રાખવામાં આવે તો ઘણીવાર દાંડ તો સામે મચક મૂકાતાં વાર લાગતી નથી. કયારેક એવું પણ બને છે કે અન્યાય કર્તા કે તોફાની લોકો પણ પ્રાણ ત્યાગ કરે અને એનાં ટાંપણને પણ પ્રતિષ્ઠા મળે. આવે વખતે સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ વિવેકને કાયમ રાખવામાં મદદરૂપ થાય છે. તે ઉપરાંત કેઈપણ પ્રશ્નના ઉકેલમાં સામે ચાલીને, કોર્ટ, કાયદે કે પોલિસ-લશ્કરને આશ્રય માંગવો ન જોઈએ; એને સમાવેશ પણ આ સૂત્રમાં થઈ જાય છે, કારણ કે–સમાજમાં ન્યાયનાં સાચાં મૂલ્યો સ્થાપવા માટે મધ્યસ્થ–પ્રથા દ્વારા સાચો ન્યાય આપવાને પ્રયત્ન જન સંસ્થાઓ વડે થવો જોઈએ. એથી અહિંસક સાધનથી ઉકેલ આવશે. લોકોની નિષ્ઠા અહિંસા ઉપર વધશે. * (8) નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા : : : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું આઠમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે વ્યક્તિગત કે સંસ્થાગત દરેક કાર્યમાં નિયમિતતા, વ્યવસ્થિતતા અને ઉપયોગિતા રાખવી. ! આને વિશેષ ખુલાસો એ છે કે સમયની કાળજી રાખવી જોઈએ, વ્યવસ્થાની કાળજી રાખવી જોઈએ અને કરકસર કરવી જોઈએ. તે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S..
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy