SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 131 . કેટલાંક કારણ જાણવા મળ્યા. એક મુનિ મહારાજે કહ્યું : “બીજા સન્યાસીઓ સાથે અમે કેમ બેસી શકીએ “આત્મવત સર્વભૂતેષુ” સિદ્ધાંતને આમાં કયાં મેળ ખાય, ઉત્સાહભેર પત્ર લખનાર એક મુનિશ્રીએ મોટા મહારાજની આજ્ઞા મંગાવવાની વાત કરી, ન તે એ આજ્ઞા આવી કે ન તે મુનિ ભેગા ભળ્યા. - એવા ઘણા દાખલાઓ આપી શકાય છે કે જ્યાં સંપ્રદાયવાદને કારણે સાધુઓને ધર્મસ્થાનકમાં જગા મળતી નથી અને તેમને સ્કુલો વ. માં ઉતરવું પડે છે. ક્યાંક લોકે ઉદાર થયા છે પણ હજુ સંકુચિતતા પણ એટલી જ જણાય છે. નાથદ્વારામાં બન્ને મુનિઓ સાથે હું ગયેલો, ત્યાં આવકાર તો ઉમળકાભેર મળ્યો. પણ બને મુનિઓએ કહ્યું કે અમારા પ્રવચનમાં હરિજન વ. પણ આવી શકે તેવી જગ્યાએ પ્રવચને ગોઠવશું. હરિજનવાસમાં જવાને કાર્યક્રમ આવતાં બને મુનિઓને કાઢયા. પણ મારાં કપડાં અંદર હતાં તે પણ ન આવ્યા. જ્યારે શુદ્ધિપ્રયોગ કરશું એવું જાહેર કર્યું ત્યારે કપડાં પાછાં મળ્યાં. જે જૈનધર્મ વિશ્વધર્મ હોય તે આટલો સંકુચિત બની જાય તો શું કામનું ? ત્યારે બીજા ધર્મો અંગે તે શું કહેવાય. જ્યાં સુધી આચાર નિષ્ઠા ન આવે ત્યાં સુધી કોરા વિચારો હાસ્યાસ્પદ લાગે છે. સાવાર પ્રથમ ધર્મ : * પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું: “આચાર : પ્રથમ ધર્મ ? " એને બ્રાહ્મણોએ ટુંકો જ અર્થ કરી નાખ્યો છે. પૂર્વ મીમાંસાના ભાષ્યમાં નીતિમય સમાજગત અને વ્યક્તિગત આચરણને ધર્મ કહ્યો છે, એમ મારા ખ્યાલ પ્રમાણે છે. વૈદિક ધર્મના આચાર્યોમાં શકરાચાર્યે સૌથી પ્રથમ મણિકર્ણિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy