________________ ( 130 '' નવલભાઈની વાત જણાવતા કહ્યું કે તેઓ એક હરિજન બાળકને લઈને ગૂંદીમાં અચલેશ્વર મહાદેવની ઓરડીમાં રહ્યો ત્યારે લોકે કહે: “તમે વિદ્વાન 1''તમારી વાત મીઠી પણ આ ભંગી બાળકને સાથે ન. રાખો ! નહીંતર તમારી પાસે કોઈ નહીં, આવે !" પણ નવલભાઈ મકકમ હતા. તેમણે વિશ્વ વાત્સલ્યના પ્રયોગમાં દટાયું હતું. તે તેઓ મક્કમ રહ્યા. છાત્રાલય શરૂ કરવું હતું ત્યારે સદગત કાળુ પટેલે પોતાનાં બાળકો મોકલ્યાં પછી તે પૂછવું જ શું ? . ક્રાંતિના માર્ગમાં મકકમતા, ધીરજ અને વિનયથી કામ લેતાં જવું અને આગળ વધવું એ નવલભાઈએ આચરી બતાવ્યું. એ છે વિશ્વવાસત્યના પ્રયોગવીરોની આચારનિષ્ઠા. તેમણે વધુમાં જણાવ્યું: “ધર્મશાળા, સદાવ્રતો, પરબો પણ તે યુગની વિચારક્રાંતિની આચારનિષ્ઠાને અનુરૂપ શરૂ થયાં હશે. પણ પછીથી વિકૃતિ આવી હશે. આજે વેરવિખેર તે ઘણું પડયું છે તે છતાંયે ભૌતિકતામાં પણ સંસ્કૃતિના દર્શન તો થાય જ છે. ( તેમણે પોતાને દાખલ ટાંકતાં કહ્યું : “એકવાર ધોળકાથી હું વટામણ જતા હતા. વૈશાખ મહીને હેવા છતાં માવઠું થયું અને મારે એક કોળીની ઝૂંપડીમાં રહેવું પડયું. તેણે પિતાની પાઘડી ઝૂંપડા ઉપર નાખી મને શરદી અને વરસાદથી બચાવ્યો.” , આવાં સંસ્કૃતિના બી છે એટલે પ્રયોગ સફળ થશે એમ માનવું જોઈએ. ' . ' માનવતા અને નિર્ભયતાની વાતે ' . . ( શ્રી બળવંતભાઇએ, સાધુઓએ માનવતા અને નિર્ભયતાની પિકળ વાત ન કરવી જોઈએ એમ જણાવતાં કહ્યું : “નિર્ભયતાથી વાતો બધા કરે છે. સાધુઓ પણ કરે છે. તે છતાં તેઓ શિબિરમાં કેમ ન આવ્યા ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust