________________ ૧ર૮ - , પ્રસંગ પડે નાતજાતના, ધર્મ કે કોમના ભેદભાવ વગર મુસ્લિમો, હરિજન વ.ને ત્યાં પણ જમું છું.” તરત જ શ્રાવકો બોલ્યા : “તમારા જેવા માણસો ધર્મને રસાતળે લઈ જશે !" મેં કહ્યું: “જે ધર્મ ભેદભાવ માનતો નથી તેમ જ કર્મથી વર્ણ વ્યવસ્થાની વાત કરે છે. ત્યાં જન્મગત ભેદો કે રોટીબેટીને ભેદભાવ હોઈ શકે નહીં, જૈન ધર્મે તે એને તોડ્યા છે. " - તેમને મારી વાત ગળે ઊતરી નહીં. મેં કહ્યું: “ચાલો, મહારાજને પૂછીએ.” તેઓ સંમત થયા. મહારાજશ્રીએ વાત સાંભળીને કહ્યું : “વાત તે દેવજીભાઈની સાચી છે. પણ અમે જ નબળા છીએ કે તમારામાં જ્ઞાનનો ફેલાવે કરીએ છીએ પણ આ એકતા લાવી શકતા નથી. તેથી તમે પણ દેવજીભાઈ જેવા એકલ દોકલ સાચના આગ્રહીને પણ એકલવાયા પડાવી દો છો !" છે. તેમને તે ઉપરાંત પણ મહારાજશ્રીએ કહ્યું તે સાંભળ્યું. તે છતાં કહ્યું : “મહારાજ ભલે વાત કરે! પણ જો સાચું હોય તો શા માટે તેની વિરૂદ્ધ ન બોલે? માટે એ સાચું કેમ કહેવાય ?" સામાન્ય પ્રજા આચારને જ જુએ છે. વિચાર સાથે એને છે સંબંધ છે. તે તો વર્તનમાં આવે તેને જ સાચું માને છે. જે મોટા મોટા સાધકો વદે તે પ્રમાણે આચરે નહીં તો ઉદાત્ત વિચારો અદ્ધર જ રહી જાય. ક્રાંતિકારે તે શુરતાથી આગળ આવવાનું છે, આ દેશમાં પંડિત તો ઘણું થયા છે; પણ ભકતો સતો જો કે ઓછું ભણ્યા હતા; છતાં તેમણે લોક હૃદયમાં તે આદર મેળવ્યો છે.. કાલિદાસ ભવભૂતિ કે માધ કરતાં કબીર, તુલસી કે મીરાં લોકહૃદયમાં વધારે વિરાજે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust