SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જુસ્સામાં અસંભવનાં સ્વજ નજરે ચડે છે અને એમ ધર્મ, દરદર્શિતા કે અધ્યવસાય પ્રગટ થતાં નથી. સમૂળી ક્રાંતિ માટે સંગઠન જરૂરી છે. “અમે તે એકલા ઊડશું, એકલાજ તરણું કે મરી ફીટશું” એમ કહેનારા પિતાના પ્રયત્નમાં સફળ થતા નથી તેમજ કયારેક અધટિત કૃત્યો પણ કરી બેસે છે. વિચારક્રાંતિ એ નદીની વિસ્તૃત જળરાશિ જેવી છે. તે ક્યાંક ધંધા બનીને નીચે પડે તો ત્યાંના પ્રદેશને તોડી ફોડી નાખે પણ જે એજ જળરાશિને બાંધી તેમાંથી નિયમિત રૂપે વિજળી પેદા કરવામાં આવે તે તે ઉપયોગી બની શકે. એટલે ક્રાંતિ માટે સંગઠન પણ વિચારક્રાંતિ જેટલું જ જરૂરી છે. - વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા સમાજમાં સ્થાપવા માટે કેવળ વિચારોજ કામ નહીં કરે પણ તેની સાથે, સમાજસેવકો કે સમાજનાં માર્ગદર્શક દ્વારા ઘડાયેલી સંસ્થાઓ કે સંગઠને વડે તેને આચારમાં મૂકવા પડશે; કારણ કે વ્યક્તિ ક્રાંતિની પ્રેરક બની શકે પણ તેનું વાહન તે સંસ્થાન છે. સંગઠિત પ્રયાસ થતાં વિચારના પરિવર્તતની સાથે ધેય, અધ્યવસાય અને દઢતા પૂર્વક પરિસ્થિતિમાં પરિવર્તન થશે. એજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનો મંત્ર છે. ચર્ચા-વિચારણું સાધકે અને આચારનિષ્ઠા શ્રી દેવજીભાઈએ વિશ્વવાત્સલ્યની આચારનિષા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - અમારા ગામમાં સ્થા. જૈન સંપ્રદાયના સાધુઓ આવ્યા હતા. ચીરઈ ગામે વિહાર કર્યો એટલે અમે 30-35 શ્રાવકો તેમને તેટલે દૂર મુકવા ગયા. રસ્તામાં અસ્પૃશ્યતા અંગે ચર્ચા ચાલી. મેં કહ્યું : “જેમ હું બીજા શાકહારીઓને ત્યાં જમું છું તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy