________________ 124 કારણ એટલું જ કે તેમણે એ રીતની ટેવ કેળવી નથી અથવા - શરૂઆતથી તે એક લપ છે એમ માની સંધર્ષથી કંટાળીને ભગવાનની આદત એમણે પોતાનામાં નાખી છે. એવી આદતો અંગે માનસ બદલાવું જોઈએ તેમજ સાધકો જે ધર્મસંસ્થાપકોના જીવન ઉપર નજર કરશે તે જાણી શકશે કે સમાજમાં કેવળ બુદ્ધિની નહીં પણ સમસ્ત આચરણની તેમણે ક્રાંતિ કરી હતી. એ રીતે વિચારને અમલમાં મૂકવાનું મનોબળ મજબૂત થશે અને ટેવ પડશે. (6) માનસિક નબળાઈ : આદતને જે કોઈ પણ વસ્તુ ઉત્તેજન આપતી હોય તે તેમાં માનસિક નબળાઈ મહત્વનો ભાગ ભજવે છે. માનસિક નબળાઈ એ પણ મહત્વનું બાધક કારણ છે. ઘણીવાર ચર્ચામાં મોખરે રહેનારઆકરી ટીકા કરનાર સાધકો પણ આચરણને પ્રશ્ન આવતાં વહેવારિક બનવાની સલાહ આપતા જોવામાં આવે છે કે “સમય પ્રમાણે કામ કરવું જોઈએ ! આપણે જ શા માટે ભાર ઉપાડવો જોઈએ ! તેમજ ઉઠપહાણુ પગ ઉપર કોણ લે ! - શા માટે ક્ષોભ પેદા કરવો? થાય છે તે જ સારું છે !" આ એક પ્રકારની માનસિક નબળાઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. આવા લોકો બધું કાર્ય કરતા હશે પણ પરિવર્તન કે સંઘર્ષને પડખે ઊભા નહીં રહી શકે. (7) ઇર્ષા અને પ્રકપ: ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ બંધુ વિશ્વવાત્સલ્યને સમર્થક હોય છે પણ તેની સલાહ ભૂલથી ન લેવામાં આવે તો તે વિરોધી બની જાય છે. તે અગાઉ જેનું સમર્થન કરતો હતો તેને જ વિરોધ કરશે; ખાંચાખૂંચ કાઢશે. આ માનસિક અને આભારી છે. આ પ્રકોપનો બીજો પ્રકાર પણ જોવા મળે છે. એક સારો પ્રયોગ કોઈએ શરૂ કર્યો હોય અને કોઈ બીજા ઉચ્ચ ગણાતા સાધક પાસે જાય તો તે ઉચ્ચ સાધક એમ કહેશે કે “એમાં મારું શું કામ છે એ તો અમુક ભાઈ કહે જ છે ને ?" આની પાછળ જે ભાવના કામ કરે છે તે એ છે કે મને આ કાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust