________________ 123 - = = = = = સંસ્થાપકો પ્રતિ સમાદાર વ્યક્ત થયો; બધા ધર્મના સાધુ-સંન્યાસીઓ સાથે મળવાનું શરૂ થયું કે જૂના સંસ્કારોને તે ન રુચ્યું. કહેવાતા. સુધારકોએ પણ સ્વસંપ્રદાયના પ્રચ્છન્ન–મેહના કારણે ઘણા કરવી શરૂ કરી. માણસનું માનસ ધીમે ધીમે જે વાતોથી ટેવાયેલું થતું જાય છે તેને તે તરત છેડી શકતું નથી પણ તેણે જે વખતે પહેલીવાર જે વાતને પકડી હતી. તે નવી હતી એમ માની નવાને પામવાને વિચાર કેળવવાથી જૂના સંસ્કારને સાધક સરળતાથી છોડી શકશે. (4) પ્રતિષ્ઠા, ભય અને યશેમેહ : ઘણીવાર જામેલી પ્રતિષ્ઠા તૂટી પડવાને ભય તેમજ અત્યાર સુધી મેળવેલો યશોમોહ પણ વિધવાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. સમાજમાં જામેલી પ્રતિષ્ઠા તૂટી પડે છે. લોકો બદનામ કરે તો ! સમાજથી ફેંકાઈ જઈએ તો ! આ બધાં ભયો પ્રતિષ્ઠાના કારણે ઊભાં થાય છે. શિબિરના પ્રચાર માટે મુંબઈમાં ઠેર ઠેર સાધુ સાધ્વીઓ પાસે ગયા હતા. ત્યારે કેટલાક સાધુઓએ કહ્યું : “શિબિરને વિચાર સુંદર છે–યુગાનુકૂળ છે. પણ સમાજથી ફેકાઈ જઈએ અથવા આજે મળતું ભાન કાલે ન મળે તો અમારી શું દશા થાય !" મતલબ કે વિચારથી વસ્તુ સારી છે એમ સમજવા છતાં આચારમાં મૂકતી વખતે પ્રતિષ્ઠામહ બાધક બને છે. તેને દૂર કરવો જોઈએ. (5) આદત : આદત પણ એક મોટું બાધક કારણ છે. આદતને લઈને ઘણીવાર ખરી વસ્તુ સમજવા છતાં માણસ આચરી શકતો નથી. કેટલાક લોકો પિતાની આદત કેવળ કળાપ્રેમ તેમજ બૌદ્ધિક ખજ સુધી કેળવે છે. એવા માણસો વ્યાખ્યા કરી શકે છે, ઊંડામાં ઊંડુ રહસ્ય પ્રગટ કરી શકે છે પણ એ વરતુને આચરણમાં ઉતારતા નથી. કેટલાક સાધકોના પરિચયમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું : અમારે વિષય જ્ઞાનયોગ છે. સમાજ સુધારણા એ અમારી રૂચિનો વિષય. નથી " સર્વોદયી લોકો પણ રાજકારણની શુદ્ધિમાં રૂચિ દાખવતા નથી. એનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust