________________ 107 - કેટલાંક કુટુંબો આપણા ઉપર એવી આદર્શ છાપ મૂકે છે કે તે વિસરાતાં નથી. ૧૯૫૧–પર માં ભાલ–નળકાંઠા ગોપાલક મંડળને પચાસહાર ઢોરની વ્યવસ્થા સંભાળવાની હતી. ત્યારે સાખબારા અને છેલઆંબા વચ્ચે એક સહકારી ખેતી મંડળીને એક કુટુંબના વિવિધ સભ્યો ચલાવતા હતા. તેને જોઈને ઘણો આનંદ થયો. અમે ગયા કે તરત આવકાર આપ્યો. મડળીના સભ્યોનું મજૂર સાથેનું જે વર્તન હતું. તે અજોડ હતું. એક બહેન ઘરના માણસોની જેમ સૌને પીરસતા હતા. બધાને કામ સરખું; ખોરાક સરખે અને આરામ સરખે. અમુક સમય ગાંધી વિચારની ગીતા (અનાસકિત યુગ)નું વાંચન થતું. તે કુટુંબને. જોઈને સંતોષ થયો કે આવું કુટુંબ ખરેખર વિશ્વ વાત્સલ્યનું એકમ બની શકે, એની વિરૂદ્ધ એક વાઘરી કુટુંબને દાખલો આપી શકાય. આં. લોકો છત્રી સમી કરવાને ધધો કરતા. કુટુંબમાં મા-બાપે નાનપણથી. બાળકોમાં સંસ્કાર ન નાખ્યા પરિણામે બાળકો મોટાં થતાં ચેરી વગેરે. શીખ્યાં અને કુટુંબને આનંદ ચાલ્યો ગયો. જરાક ઓથે સુધરતા કુટુંબો . શ્રી દેવજીભાઈએ કહ્યું: “એ વાત સાચી છે. વાઘરી કુટુંબ પાછળ છે કારણકે તેમને જાત-વિકાસની તક ઓછી મળી છે. તેમનામાં બે ગુણે તો જોવામાં આવે છે -(1) નાતને સુસંપ (2) ગરમ સ્વભાવ. તેમને જરાક ઓથ સાચી દિશાએ જવાની આપવામાં આવે તે વાળ્યાં તરત વળે તેવા છે. અમલદારે, શ્રીમતો અને નગર ઉપર ઉપકાર કરીએ તોયે શંકાની નજરે તો જુએજ કે કંઈક કારણ હશે. ત્યારે આવે પછાત વર્ગ થોડા ઉપકારને પણ મોકો મળતાં વધુ આભારે તરત વાળે. આ લોકશક્તિ વ્યવસ્થિત થાય તે દેશ અને વિશ્વને કેટલી બધી ઉપયોગી થઈ પડે! એટલું જ નહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust