________________ 106 તે ગામમાં ગયો. પહેલાં તે દાંડાઈનું જોર હતુ પણ આ તો સામાજિક દબાણું છે એમ માની તેઓ નરમ પડ્યા. મોટાભાઈએ એક વાત મૂકી : “મારે નાનો ભાઈ મારી સાથે બેલતો નથી–રામરામ પણ કરતો નથી.” તેની વાત રીતસરની હતી એટલે અમે મોટાભાઈની વાત નાનાભાઈ આગળ મૂકી કે ગમે તેમ તોયે તારા મોટાભાઈ! તેમને જઈને પગે પડ ! તું અમારી સામે એમ કરીશ તે ગામના લોકો જેશે અને તારી આબરૂ વધશે. સાથે કુસંપ પણ દૂર થઈ જશે !" તેણે તેમ કર્યું. ગામ નાનું હતું અને તરત બને ભાઈઓમાં સંપ થઈ ગયો. આમ જ્યાં ગ્રામ સંગઠને હોય તેમણે કુટુંબ એકમોમાં મેળ સાધે જોઈએ. ગ્રામશક્તિ વધે કે રાજ્યને પણ તેની આગળ નમવું પડે છે કારણ કે લોશાહીમાં લોકો જ શક્તિ છે. કેવળ તેમનાં સંગઠને યોગ્ય અને ન્યાયપુરઃસર થવાં જોઈએ. ' વિધવાત્સલ્યની પહેલ કુટુંબથી થવી જોઈએ ! શ્રી પૂજાભાઈએ વિશ્વવાત્સલ્યની પહેલ ઘરથી થવી જોઈએ તે ઉપર વિચાર દર્શાવતાં કહ્યું : “જે કુટુંબ સારાં ન હોય તે વિધવાત્સલ્યના માર્ગે પહેલ ક્યાંથી થાય? એટલે કુટુંબ એમને વિશ્વ વાત્સલ્ય બળને સંચાર કરવા શક્તિમાન કરવું જોઈએ. સાસુ વહુ કડાકૂડ લડતા હોય અને બાળક ધાવતું હોય તો તેની કેવી છાપ પડે? બાળક પર, ગર્ભ ઉપર વિચાર અને વાતાવરણની અસર થાયજ છે. એટલે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કરવા કુટુંબ માગે જવું જોઈશે. વડીલોએ નીતિ-રીતિ સમજી યોગ્ય માર્ગે જવું જોઈએ તેમજ બાળકોએ પણ વડીલોને સત્કારવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust