________________ થી વિજ્ય દેવમુર સંઘ જ્ઞાન ભંડા 93 . શ્રી ગોડીજી જૈન દેરાસર શ્રી શિડ્યુલ રોક, બુધ-3 ગામડાંમાં વધારે જોવા મળે છે. વિશ્વ વાત્સલ્યને સાધક સામાજિક ક્ષેત્રના એકમ સ્વરૂપે ગામડાં પ્રતિ કઈ રીતે વાત્સલ્ય રેડી શકે ? , આજે ગામડાં જે ઉત્પાદન કરે છે, તેનું તેને વળતર બરાબર મળતું. નથી. અલગ અલગ રીતે શહેરે તેનું શોષણ કરે છે. તેમને સંગઠિત કરી; સભ્યતાને સંચાર કરી; જરૂર પડે તે તપ-ત્યાગની મૂડીથી તેમને જગાડી તેમને અન્યાય દૂર કરવામાં આવે, કે તેવી પ્રવૃત્તિઓને સક્રિય સમર્થન આપવામાં આવે-એ તે એકમ પ્રતિ વાત્સલ્ય રસ રેડવું થશે.. વિશ્વવાત્સલ્યને સાધક ગામડાંની ઉપેક્ષા કરી શકે નહીં. એટલે જ મહાત્મા ગાંધીજીએ ગામડું પસંદ કર્યું હતું. તેમણે અમદાવાદ કે કોઈ બીજા શહેરમાં આશ્રમ બાંધ્યો ન હતો; પણ કોચરબ અને સાબરમતીમાં બાંધ્યા હતાં–જે ગામડાં જ છે. એવી જ રીતે વર્ધામાં, નહીં પણ ત્યાંથી થોડે દૂર સેગાંવ–સેવાગ્રામમાં તેમણે આશ્રમ બાંધ્યો હતે. વિદેશીઓ આવીને તેમને આશ્ચર્યથી પૂછતા કે આપની આટલી બધી વિશાળ પ્રવૃત્તિ હોવા છતાં આ૫ આવા ગામડામાં કેમ બેઠા છે? ગાંધીજી કહેતા : “જે તમારે ભારતનાં દર્શન કરવાં હોય તો ગામડાં જોવા પડશે. ભારતીય સંસ્કૃતિ પણ તમને ગામડાઓમાં જ જોવા મળશે. ભારત મારું ગામડાઓમાં પડ્યું છે. પણ દુઃખની વાત. એ છે કે 80 ટકાથી વધારે વસ્તી ગામડાંઓમાં હેવા છતાં; ગામડાઓને કોઈ અવાજ નથી. તેમનું કઈ સંગઠન નથી. તેમની, ઉપેક્ષા થઈ રહી છે.” એટલા માટે જ ગાંધીજીએ ગ્રામોદ્ધાર–ગામડાંને ઊંચા આણવાની વાત પહેલાં કરી. દરેક સેવકોને તેમણે ગામડે મોકલ્યા : ગ્રામોદ્યોગ અને ખાદી ઉપર ભાર મૂક્યો; જેથી ગામમાં રહેતા લોકોને કામધે મળી શકે. તેઓ આર્થિક દષ્ટિએ ઉન્નત થાય હિંદ આબાદ થાય. દર્શન અને તત્ત્વજ્ઞાનનું ચિંતન પણ મોટેભાગે જંગલો કે નાના એવાં ગામડાઓમાં આ દેશમાં થવા પામ્યું છે. ઋષિમુનિઓએ કાં તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust