SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વણવામાં આવ્યું છે. તે પઠાણ પેલી બંગાળી કન્યાને ચાહતો હોય છે. બધા તેમાં કંઈક સીધું-ઊધું માને છે પણ અંતે જ્યારે તે પોતાની પુત્રીના હાથના પંજાનું ચિત્ર બતાવીને કહે છે કે મારી પણ આના જેવડી જ પુત્રી છે–આને જોઈને હું તેની સ્મૃતિ તાજી કરૂં છું. એટલે બંગાળી કન્યાના બાપ વાત્સલ્યથી પ્રેરાઈને તે પઠાણને દેશ જવા માટે રૂપીયા આપે છે અને કન્યાના લગ્ન વખતની રોશનીને જતી કરે છે. અહીં સ્પષ્ટપણે ઘરનું વાત્સલ્ય કે પ્રભાવ જમાવે છે તેની કેટલી પ્રગાઢ અસર છે તે જોવાનું છે. બે અલગ દેશના, અલગ ધર્મના પિતાઓ એકબીજાની પુત્રીને ચાહી શકે છે તે આ વાત્સલ્યના પ્રતાપે જ! ઘરનું વાત્સલ્ય ધીરે ધીરે કુટુંબ, સમાજ, નગર, ગ્રામ, રાષ્ટ્ર સુધી ધીરે ધીરે ફેલાવી શકાય છે. કૌટુંબિક ક્ષેત્રથી આગળ આવતાં વિશ્વાસયનું મોટું ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર છે. આ સામાજિક ક્ષેત્રનું એકમ ગામડું છે, મા માટે તે બધાં બાળકો સરખાં હોય છે. તે છતાં તે નાનાં બાળક તરફ વધારે ધ્યાન આપે છે કારણ કે તે નાનું છે; નવું છે અને મોટાની અપેક્ષાએ ઓછા વિકાસને પામ્યું છે. એવી જ રીતે વિશ્વવાત્સલ્યને સાધક જેની કલ્પના વિશ્વમાતા રૂપે કરવામાં આવે; તે પણ સમાજમાં સંસ્કૃતિ કે સામાજિકતાના કારણોસર જે અંગ નબળુ રહી ગયું હોય પાછળ રહી ગયું હોય તેને પહેલું લેશે. તેના માટે જે પીડિત, શોષિત, અપ્રતિષ્ઠિત હોય તેનામાં વધુ વાત્સલ્ય રેડવાનું રહેશે. એ માટે જ સામાજિક ક્ષેત્રના એકમ તરીકે ગામડાંને લેવામાં આવ્યું છે. ગામડામાં ખેડૂતે, ગાવાળો, મજૂરે, પછાત વર્ગના લોકો આદિવાસીઓ અને એવી બીજી જાતિઓને સમાવેશ થઈ જાય છે. સંસ્કૃતિ અને નીતિની દષ્ટિએ ગામડું શહેર કરતાં આગળ છે. પણ સામાજિક્તાની દ્રષ્ટિએ તે પાછળ છે. સભ્યતા અને બહારના રૂપરંગમાં શહેર આગળ વધેલું જણાય છે પણ ધર્મ તેમ જ પ્રામાણિકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy