SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ; ; અદાલસાએ ખરેખર આઠમા બાળકને ધર્મનિહિત રાજનીતિનું શિક્ષણ આપ્યું અને તેને ધર્મપાલક રાજા બનાવ્યાકહેવાને સાર એટલો કે એક માતા સંસ્કારી અને ઉંચા વિચારોની હોય તો તે બાળકને વિશ્વ વાત્સલ્ય પ્રતિ દોરનારી નીવડે છે. } જાપાનમાં બાળકોને નાનપણથી કેવળ પોતાના દેશને મા-બાપ માનવાની વાત શીખવવામાં આવે છે. પરિણામે ત્યાં બાળકનું વાત્સલ્ય કેવળ રાષ્ટ્ર-વાંસલ્ય સુધી જ વિકસે છે. પણ ભારતમાં ભારતીય માતાઓ બાળકમાં નાનપણથી વિશાળ અને વ્યાપક વિશ્વવાત્સલ્યને ભાવ ભરતી આવે છે. એટલે ભારતે જેટલા વિશ્વ વાત્સલ્ય સંત-મહાત્માએ અને પરમપુરુષો આપ્યા છે તેટલા કોઈ બીજા રાષ્ટ્ર આપ્યા નથી. ': રાંજા ગોપીચંદની વાત બહુ જાણીતી છે. તેની માતા મેનાવતીએ ઘરથી જ રાજા ગોપીચંદને વિધવાત્સલ્યની પ્રેરણા આપી હતી. એક વખત રાજા ગોપીચંદ સ્નાન કરતો હતો. રાણીઓ તેને નવડાવતી હતી. ત્યારે તેનું સુડોળ શરીર અને પ્રરત્ન વદન જોઈને મેનાવતીના મનમાં વિચાર આવ્યા. “આ મારે દીકરે જે કેવળ કુટુંબ, રાજ્ય, ધન, કે યૌવનના મોહમાં ફસાઈ જશે તો તેને આ જન્મ નિરર્થક જશે. આ શરીર, ધન, યૌવન બધું ક્ષણિક છે. એમાંથી કંઈ પણ સાથે આવવાનું નથી. એના પિતા પણ આમને આમ ચાલ્યા ગયા. કુટુંબ રાજ્ય-એશ્વર્યમાં રચ્યાપચ્યા રહીને તેઓ પણ જન્મ સફળ ન કરી શકયા. માટે મારું કર્તવ્ય છે કે આ પુત્રને તો ચેતવું.” , એમ વિચાર કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં. રાજા ગોપીચદે મેં ફેરવ્યું અને જોયું કે માની આંખમાં આંસુ છે. - રાજા ગોપીચંદે કહ્યું: “મા! તું રહે છે શા માટે ? તને * * 'શું દુઃખ છે : : ' ? મેનાવતી બેલીઃ “પુત્ર! તારૂં મુખ જોઈને મને તારા પિતાજી યાદ આવી ગયા. તન-ધન યૌવનમાં ફસાઈને તેઓ પણ એમજ ચાલ્યા "" P.P. A6. Gunratnasuri Ni.. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy