________________ તે ભવિષ્ય શો છે. એટલે જ કહ્યું છે –“જે કર ઝૂલાવે પારણું ભાવિ ઘડે છે વિશ્વનું.” પુરાણોમાં રાણું મદાલસાનું આખ્યાન આવે છે. માતા મદાલસા પિતાના 7 પુત્રને પારણમાં ઝુલાવતાં ઝુલાવતાં કહે છે - शुद्धोऽसि, बुद्धोऽसि. निरंजनोऽसि संसारमाया परिवजितोऽसि / संसार-स्वप्नं; त्यज भनिद्रा मदालसा वाकयमुवांच पुत्रम् // હે દીકરા ! તુ યુદ્ધ છે ! બુદ્ધ છે. નિરંજન છે એટલે કે આખા વિશ્વના છે! સંસારની માયા-કુટુંબ મેહ વગેરેથી રહિત છે ! સંસાર તો સ્વપ્ન છે. એટલે મોહનિદ્રા ત્યાગ એમ મદાલસા તમને કહે છે. આમાં સ્પષ્ટપણે સંસાર સાથે મોહ સંબંધ તેડીને ધર્મસંબંધ બાંધવાને આદેશ છે. ધર્મને અનુબંધ બાંધી કલ્યાણ માર્ગે જવાની પ્રેરણા છે. સંસાર સ્વપ્ન જેવું છે તે ખરું પણ તેમાંયે સત્ય-અહિંસા વગેરે સારભૂત તત્વે લેવા અને મેહનિદ્રાને ત્યજી યોગનિદ્રા સાધવા માટે મા પુત્રને કહે છે. ' કહેવાય છે કે મદાલસા માતાના આ ઉપદેશની સાત પુત્રે ઉપર એટલી બધી અસર થઈ કે એના સાતે પુત્ર કુટુંબમોહ છોડી વિશ્વવાત્સલ્યને માર્ગે ગયા–સંત થયા. તે વખતે મદાલસાના પતિ રાજાને ચિંતા થઈ કે મારું રાજ્ય કેણુ ચલાવશે ? ત્યારે મદાલસાએ હ્યું: “સ્વામી ! આપ ચિંતા ન કરો. આઠમા બાળકમાં હું એવા સંસ્કાર ભરીશ કે તે ધર્મનીતિથી તમારું રાજ્ય ચલાવનાર બનશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust