________________ (10) સ્મૃતિ વિકાસના માર્ગો (જેમાં અવધાને, ગણિતપ્રયોગ, છદો વગેરે છણાયું છે.) આ દશ મુદ્દાઓ પૈકીને પ્રથમ મુદ્દો આ પુસ્તકમાં છપાયો છે. જેમાં અઢાર પ્રવચને ચર્ચામાં છે: એ અઢાર પ્રવચનમાં મુખ્ય વકતા પ્રિય મુનિ નેમિચંદ્રજી છે. ઉપરાંત પ્રિય દુલેરાય માટલિયાએ પણ આ પ્રવચનમાં સક્રિય ફાળો આપ્યો છે. તેમને “કલ્યાણરાજ્ય” અંગેને તથા “સર્વોદય” અંગેને માત્ર અભ્યાસ જ નથી. એ ત્રણેયના અનુસંધાનમાં તેમને બૌદ્ધિક અને કર્તવ્યાત્મક હિસ્સો પણ છે. “વાત્સલ્યધામ " માલપરાની સંસ્થા નિમિત્તે તથા શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે પણ તેમને અનુભવ વિશાળ થયો છે. ખાસ તો સંતવિનોબા વિચારધારા” તથા “અનુબંધ વિચારધારા ”ના પરસ્પર પૂર્તિરૂપના સમન્વય ઉપર તેમણે સાહિત્ય પણ પ્રગટ કર્યું છે. નેમિમુનિની તો વાત જ શી કરવી ? તેમણે ક્રાતિપ્રિય સંત તરીકે આ માર્ગમાં પગલાં માંડયાં ત્યારથી રાજસ્થાનમાં અનેક વિટંબણાઓ વચ્ચે અડેલભાવે ટકી શક્યા. પોતાની વિદ્વત્તા ઉપરાંત એ બધા અનુભવોને નિચોડ આ પ્રવચનમાં મળશે. આથી પ્રિયનેમિમુનિ મારા વિચારની અસરકારક પ્રતિકૃતિરૂપ જ નથી રહ્યા. તેમણે ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિને, તેમાં કાર્ય કરનારાં પરિબળોને તેમ જ રાજસ્થાનમાં વિશ્વ વાત્સલ્ય ચિંતક સમિતિ વ. કાર્યોને અનુભવ કરીને અમુક હદે આ પ્રયોગની જાતસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી જ આ પ્રવચનમાં પ્રાણ પુરાયો છે. તે ઉપરાંત આ પ્રવચન સાથે શિબિર સભ્યોની ચર્ચા જોડાઈ છે તે સેના સાથે સુગંધની ગરજ સારે છે. દંડી સન્યાસીનાં પાકટ અનુભવ, બૌદ્ધ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust