SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ 355 ગુરૂની ગરવી વાણી વયં લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા બાણની જેમ જન્મ, જરા અને પ્રત્યુથી દુ:ખીત થયેલા કયારે પણ આ ભવસાગરને પાર કરી તા નથી. માણસને મોહમાં નાખનારા કેટલાક ગુરૂઓ પથ્થર જેવા છે. તેઓ પોતે તે આ સંસાર સમુદ્રમાં ડૂબે છે, પણ સાથે સાંસારિક સુખની ઇચ્છાથી બીજાઓને પણ તેમાં ડૂબાડી દે છે. કેટલાક ગુરૂઓ વાંદરા જેવા હોય છે. જ્યાં સુધી પ્રોજન સિધ્ધ ન થાય ત્યાં સુધી તેઓ બંધ પમાડે છે, પણ ત્યાર પછી તેનો ત્યાગ કરી લુબ્ધ થયેલા તેઓ બીજે સ્થળે ચાલ્યા જાય છે. આથી વિચક્ષણ પૂરુએ માણસેમાં એક રત્ન સમાન અને સજજનોએ ઉપાસના કરવા ચગ્ય એવા ગુરુ ઉપર જ શ્રધા કરવી. તેઓને જ પોતાના ગુરૂ સમજવા, માનવા ને પૂજવા. માંસ અને મજાથી યુક્ત તથા વિષ્ટા અને મળમૂત્રના ઉત્પત્તિ સ્થાન રૂ૫ આ માનવ શરીર છે. એ શરીર ઉપર જેઓ જરાપણ આસક્ત બનતા નથી, મેહ રાખતા નથી, તેઓ જ સાચા તત્ત્વજ્ઞાની છે એમ જાણે. | કોય હંમેશાં ત્યાજ્ય છે. શત્રુઓને પેદા કરનાર ક્રોધ છે. ક્રોધ કરવાથી ઘણુ બધુ નુકસાન થાય છે. સાંસારિક વ્યવહારે તો તેનાથી બગડે જ છે. એટલું નહિ આત્માને પણ તે દુષિત કરે છે. માટે ભજો ! કદી ક્રોધ કરશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy