SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂની ગરવી વાણું 341 દશામાં ગાંડે બને છે. પાગલ બની એ ભટકે છે અને વ્યર્થ પ્રલાપ કરે છે. આ ગાંડપણમાં તે નવમી દશાએ પહોંચતા મરવા તૈયાર થાય છે. આપઘાત કરવા એ પ્રયત્ન કરે છે. . અને આખરે આ વિકાર ઉગ્ર ને ઉત્કટ બનતાં ને તેની શાંતિ ન થતાં તે છેલ્લે આત્મહત્યા કરે છે. - યુવાનને થયું આ રાણી તો છેલી દશા સુધી આવી ' પહોંચી છે. પોતે જે તેના દિલને શાતા નહિ આપે તો એ જરૂરથી આત્મહત્યા કરશે. - પણ રાણી પાસે પહોંચવું શી રીતે? તે વિચારમાં - એ ઊડે ઊતરી ગયે. “શું વિચાર કરે છે?” દાસીએ પૂછ્યું.' પણ આ બને કેવી રીતે ? મને અંતઃપુરમાં આવવા કોણ દે? અને ત્યાં આવી મને કોઈ જોઈ જાય છે તે હું જાનથી જ માર્યો જાઉં ને ?" * “તેની ચિંતા તમે ન કરશે. એ બધું જ હું સંભાળી લઈશ. કૌમુદી મહોત્સવની રાતે તમે અંત:પુરના પાછળના - ભાગમાં આવજે. તે રાત્રિએ રાજા શતાયુધ વગેરે તમામને બહાર ગયા હશે. એ સમયે રાણીને ત્યાં રોકી રાખીશ. ત્યારે તમને ભરપૂર એકાન્ત મળશે. રાણી પણ મળશે. ચેનથી તમે આનંદ કરજે.” આમ યુવાનને વિશ્વાસ ને હિંમત આપી દાસી રાણી પાસે આવી. શું' કરી આવી? કોણ છે એ યુવાન ?' દાસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy